SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 12 ભગવાન મહાવીર સ્વામી મનોરમ ઉદ્યાનમાં સમોસર્યા છે. (ત્રીજો અંક) ચોથા અંકમાં મંત્રી નગરમાં સર્વ સ્થળોએ ફરી વળ્યા છે પણ ચોરની ક્યાંક ભાળ મળતી નથી. ચોર પકડાતો નથી. મંત્રી અભયકુમાર છેવટે એક એવો દાવ ૨મે છે કે જેમાં નગ૨માં કડક જાપ્તો કરી દીધો છે અને રાત્રે નગરજનોમાંથી કોઈ પણ બહાર નીકળે નહીં તેવી કડક સૂચના પણ આપી છે. નગ૨માં સજ્જડ ચોકી-પહેરો ભરાય છે. એક બાજુ ભગવાન વર્ધમાન મહાવીરનું વ્યાખ્યાન ચાલી રહ્યું છે. આ દરમ્યાન રૌહિણેય નગરમાં ચોરી કરવા આવ્યો છે. ભગવાન મહાવીરનું વ્યાખ્યાન જ્યાં ચાલી રહ્યું છે તે માર્ગેથી પસાર થઈ રહ્યો છે. પોતાના પિતાની અંતિમ આજ્ઞા પ્રમાણે કાનને આંગળીઓથી બંધ કરી દઈ, (જેથી ભગવાનનો ઉપદેશ કાને ન પડે) ત્યાંથી જઈ રહ્યો છે. પણ એવામાં જ પગે કાંટો ભોંકાયો અને અસહ્ય પીડા થવા લાગી. છેવટે કાન પરથી હાથ ઉપાડીને કાંટો પગમાંથી કાઢ્યો. તે ક્ષણોમાં ભગવાન મહાવીર પોતાના વ્યાખ્યાનમાં દેવોનું સ્વરૂપ વર્ણવી રહ્યા હતા, જે પ્રમાણે ‘જગતમાં અનુપમ સુર અવતાર લાખો વર્ષો સુખમાં વહેતાં, જાણે કે પળવાર ! ના પરસેવો દેવોને, તે થાકે પણ ન લગાર કરમાયે તસ ફૂલમાળ ના, નીરોગી તનુ સાર ચરણ ન ફરસે ધરતીને તસ, આંખ ન કરે પલકાર વસ્ત્રો મલિન ન થાય કદાપિ, નહિ દુર્ગંધ-પ્રસાર મનવાંછિત સહુ સિદ્ધ થતાં તસ, મન ચિંતવતાં વાર.' (અનુવાદ : શીલચન્દ્રવિજયજી. ‘ફરસે’ એ ચિત્ત્વ શબ્દપ્રયોગ બાદ કરતાં, મૂળ કંઈક કઠિન સંસ્કૃત પદ્યનો આ સરળ પ્રવાહી અનુવાદ છે અને વળી, માલકૌંસ રાગ એવી સૂચના પણ આપવામાં આવી છે તે અનુવાદકની અનુવાદમાં મૌલિકતા છે.) રૌહિણેયને આટલા શબ્દો કાને પડી જાય છે તેનો ઘણો અફસોસ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy