SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 25 પરંતુ ઇતિહાસના પાનાં ફેરવીએ તો, અને આવી નાટ્યરચનાઓ વાંચીએ તો, તરત ખ્યાલ આવે કે આપણા પૂર્વજો, મહાન જૈનાચાર્યો તેમજ મહાન શ્રાવકોસંઘોની નજર સમક્ષ જ, આપણાં ભવ્ય જિનાલયોમાં, આવાં નાટકો ભજવાતાં હતાં, અને જૈન-જૈનેતર સમગ્ર જનતા ઉપરાંત રાજાઓ અને મંત્રીઓ પણ તે જોવા ઉપસ્થિત રહેતા હતા. આપણાં દેરાસરોજિનમન્દિરોના નિર્માણ સાથે સંબંધ ધરાવતી શિલ્પશાસ્ત્રીય પરિભાષામાં બે શબ્દો બહુ ધ્યાનપાત્ર છે : ૧. રંગમંડપ, ૨. પ્રેક્ષામંડપ. ભવ્ય જિનાલયોમાં (તેમજ નાનાં ચૈત્યોમાં પણ) ગર્ભગૃહ પૂરો થાય પછી અમુક હદથી અમુક હદ સુધીના વિભાગને રંગમંડપ કે નૃત્યમંડપ તરીકે શિલ્પશાસ્ત્ર વર્ણવે છે. (આજે પણ જૈનોનો નાનો બાળક પણ “રંગમંડપ' શબ્દ જાણતો-બોલતો હોય છે.) અને તે રંગમંડપની હદ સમાપ્ત થાય કે તરત, તેની પછી આવતા મંડપને ને પ્રેક્ષામંડપ (કે ખેડામંડ૫) કહેવામાં આવે છે. આ શબ્દો જ સૂચવે છે કે રંગમંડપમાં નૃત્ય તથા નાટકનાં પ્રયોજનો રચાતાં હશે, તો પ્રેક્ષામંડપમાં જોનારા દર્શકો-ભાવકોનું સ્થાન રહેતું હશે. ભગવાનના દરબારમાં સામાન્ય જનસમૂહને આકર્ષવા માટે, પોતાના ચૈત્યનો મહિમા તથા ખ્યાતિ વધારવા માટે, ભગવાનની નૃત્ય-નાટ્યભિનય વગેરરૂપ ભક્તિના પ્રકારલેખે, સંપન્ન સગૃહસ્થો આવા ઉપક્રમો રચાવતા હોય, તેમ નિસંકોચ કલ્પી શકાય. આજે પણ આપણાં દેરાસરોમાં રાત્રે મોડા સુધી ભાવના'રૂપે ગાવા-વગાડવાનું, તેમાં રાસ, કથાગીત તથા નૃત્ય કરવાનું પ્રયોજન વ્યાપકપણે જોવા તો મળે જ છે. એ બધાંમાં જેમ કોઈને અયુક્ત કે વિરાધના નથી લાગતાં, તેમ મધ્યકાળના લોકોને આ પ્રકારના નૃત્ય-નાટ્યાભિનયાદિમાં પણ તે ન લાગતાં હોય તો તે શક્ય છે. અને હેમચન્દ્રાચાર્ય જેવા સેંકડો મહાન ધુરંધર આચાર્યોએ પણ આ પ્રથાનો નિષેધ-વિરોધ કર્યો હોય તેવું હજી સુધી તો ક્યાંય જાણવા-વાંચવા મળ્યું નથી. બલ્ક તે આચાર્યોએ કે તેમના શિષ્યોએ તો આવાં પ્રયોજનો માટે જ નાટ્યરચનાઓ કરી હોવાનું જાણવા મળે છે. પ્રસ્તુત નાટક “પ્રબુદ્ધ રૌહિણેય પણ રામભદ્રમુનિએ, ચાહમાન-ચહુઆણ કુળના શ્રીયશોવીર અને શ્રીઅજયપાલે નિર્માવેલા, જાલોરના શ્રી આદિનાથ ચૈત્યના મહોત્સવ પ્રસંગે ભજવવા માટે જ સર્યું છે, તેમ આ નાટકની પ્રસ્તાવના જોતાં જાણી શકાય છે. મદિરોમાં–ખરેખર તો જાહેરમાં- નાટકો ભજવવાની આ રસપ્રદ પરંપરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy