SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪] [ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) તેથી બીજા કોઇનેયે ચોરલેખે ન શોધજો ! (૨૬) અભયકુમાર : (રોમાંચ અનુભવતા) ધન્ય છે રૌહિણેય ! ધન્ય છે તારી સરલતાને: મારા બુદ્ધિપ્રપંચમાં ભલભલા ભૂચાટતા થૈ ગયા આવર્તે જિમ સિન્ધના ગરક થાતાં વ્હાણ મોટાં ઘણાં તેમાંથી નહિ કોઇ કોઇ દિ' બચ્યું હે ધીર ! તારા વિના તેં તો બુદ્ધિબળે મનેય થકવ્યો; છો ધન્યવાદાઈ તું..(૨૭) રૌહિણેય : પણ મંત્રીવર્ય ! આમ કેમ બની શક્યું તે સાંભળોઃ મારું આ અવળુંય વાંછિત બધું વિનો વિના સીઝતું બુદ્ધિયે અટવાય આપની અહો ! ના તાગ મારો લહે આનું કારણ માત્ર વીરજિન છે ભંડાર કારુણ્યના મંત્રીવર્ય! પ્રતીતિ આ મુજ હિયે, છો ને કહે ના બધા(૨૮) અભયકુમાર (કાન ઢાંકી દઈને અરુચિપૂર્વક)અરે ભાઈ ! આ કેવી અયુક્ત વાત કરે છે તું? શું તીર્થકરો ચોરી કરતાં શીખવાડે ? મદિરાના ઉન્માદમાં તો નથી ને હજી ? રૌહિણેય : મંત્રીશ્વર ! તમે મારી વાતનો મર્મ ન પકડી શક્યા. સાંભળો, હું જ સમજાવું : નૌકા વડે નદી જેમ, તરવી શક્ય છે મહા પ્રભુના શબ્દ-બળથી, તેમ મેં બુદ્ધિજાળ આ ભેદી મંત્રીશ! આપની (૨૯) અભયકુમાર : (આશ્ચર્ય પામતાં)એ શી રીતે ? રૌહિણેય : સાંભળો. મારા પિતાનું નામ લોહખુર. વૈભારગિરિની ગુફામાં રહે. ચોરીનો જ વ્યવસાય. એમણે મૃત્યુ-સમયે મને પ્રતિજ્ઞા કરાવી કે જો તું મારો પુત્ર હો તો મહાવીર સ્વામીની વાણી કદી સાંભળતો નહિ. બધા : (ઉત્તેજિત સ્વરે) પછી ? રૌહિણેય : મેં તે પ્રતિજ્ઞા કરી. અને તેનું અભંગ પાલન કરતાં રહીને આજ પર્યન્ત રાજગૃહીને લૂંટતો રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy