SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ રસકીય અનુભવના સંદર્ભમાં, સદ્ગત શ્રીગોવર્ધન પંચાલે ઈ.સ. ૧૯૯૪માં આ સંસ્કૃત નાટકનું ઈન્ડીઅન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટના ખુલ્લા પ્રાંગણમાં (બારમી સદીમાં ચૈત્યના પરિવેશની જેમ !) મંચન કર્યું હતું તેનું પણ આપણે અહીં સ્મરણ કરી લેવું જોઈએ. ગોવર્ધનદાદાની જીવનભર ભરતમુનિના નાટ્યશાસ્ત્ર પ્રમાણેના રંગમંચ-પ્રેક્ષકગૃહની શોધ રહી. ભરતમુનિના નાટ્યશાસ્ત્રના સંકેતો પ્રમાણે પ્રબુદ્ધરૌહિણેયનું તેમણે મંચન કર્યું અને નાટ્યરસિકોનો સમાદર પ્રાપ્ત કર્યો. બારમી સદીમાં એક મંચન પછી લગભગ સાતસો વર્ષે થએલું આ મંચન પણ એક અવિસ્મરણીય ઘટના હતી. અને સંસ્કૃત રંગમંચના ઇતિહાસની આ એક મહત્ત્વની વિગત છે. તો, આ અનુવાદ પણ સ્મરણીય અને રમણીય છે. આમ આ નાટક જૈન ધર્મની આબોહવામાં રોપાયું ને અંકુરિત ને વિકસિત થયું હોવા છતાં, ક્યાંય સાંપ્રદાયિકતાએ એની કળાને અળપાવી નથી, ને પ્રશિષ્ટ સંસ્કૃત નાટકની મહેક આ મધ્યકાલીન નાટકમાં પરિવર્તિત પરિવેશમાં પણ આમોદ પ્રસરાવી રહી છે. તેમ અનુવાદક પણ પોતે જૈનધર્મના કોઈ ચીલાચાલુ અર્થમાં ગૉડમેન-ધર્મપુરુષ નહીં પણ જૈન ધર્મના એક અગ્રણી સંતપુરુષ અને ઉપદેશક હોવા છતાં તેમના મનની મોકળાશ, સંસ્કૃત-ગુજરાતી ભાષા પરનું ડારી દેનારું પ્રભુત્વ, અને સાહિત્યિક સર્જનાત્મકતાને કારણે અનુવાદ પણ સરળ, પ્રવાહી અને સંતર્પક બન્યો છે. અને નાટકના કથાવસ્તુની ઘટનાનું રૂપક લઈને કહીએ (પૂરા આદર સાથે) તો અનુવાદ રૂપી ભવ્ય ચૈત્યનું અનુવાદકે નિર્માણ કર્યું છે, અને આપણને અનર્ગળ રસબોધ કરાવ્યો છે. આ માટે મહારાજસાહેબ, આપનો આભાર અને પ્રણામ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy