SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 20 ભજવણીની દૃષ્ટિએ થોડુંક અનાયાસે “ચરણદાસ ચોર' - ચિત્તમાં કબજો જમાવી બેઠું છે–સાથે સરખામણી થઈ જાય છે. કન્ટેન્ટ ખૂબ જ જાણીતું છે. સુંદર સુસ્પષ્ટ અક્ષરો, ઉચ્ચ ભાષા, ઊંડું જ્ઞાન, પ્રસંગોની શ્રેષ્ઠ ગોઠવણી (Construction). જૂની રંગભૂમિનાં નાટકો પ્રમાણે આ શ્રેષ્ઠ નાટ્યસ્વરૂપ લાગે છે. નાનાં દશ્યોમાં પાત્રોની સંખ્યા ઓછી છે. સારું છે. પણ ગેયતત્ત્વની ગેરહાજરી ધ્યાન બહાર રહેતી નથી. નાટકમાં આવતા જુદા જુદા પ્રસંગો જેમકે પ્રાર્થના, વિનંતી, લલકાર, પ્રણય, કોપ, દુઃખ વેર, આનંદ વિ. માટે દુહા, છંદ, હરિગીત અને વિવિધ રાગ પ્રયોજાતા હોય છે. જો નાટકમાં ગેય તત્ત્વ રાખવું હોય તો પ્રસંગોચિત રાગ પ્રયોજવાથી તે ખાસ પ્રસંગનો ઉઠાવ પ્રભાવિત બને છે. બીજા અંકમાં : પ્રથમ દૃશ્ય ખૂબ નાનું છે. બીજું દશ્ય, તેમાં છ દશ્યો સળંગ ભજવાય છે : ૧. રોહિણેય-શબરનું દૃશ્ય. ૨. શ્રેષ્ઠિપુત્રનાં લગ્ન - ગૃહપ્રવેશ પહેલાનું દશ્ય ૩. નર્તકીઓ-શબરનાં નૃત્યનું દશ્ય ૪. વાસનિકા – શબરનું દશ્ય. (નૃત્ય) ૫. સ્ત્રી (રોહિણેય સ્ત્રીરૂપે) બીજી સ્ત્રી (સાથીદાર) અનુક્રમે વર-વધૂને કાંધ પર બેસાડી નૃત્ય કરતાં કરતાં ભગાડી જાયનું દશ્ય. ૬. શ્રેષ્ઠી - રત્નાંગદના વિલાપનું દશ્ય આ છ દશ્યો શ્રેષ્ઠી-ભવનનાં પ્રાંગણમાં ભજવાય છે. અશક્ય ન કહીએ તો પણ કઠિન તો છે જ. છ અંક વધારે રૂકાવટ ઊભી કરશે. છ વખત પડદો પડે તે સિવાય પણ દશ્ય બદલવા પડદો પડે છે. વાર્તાના પ્રવાહને કારણે-પ્રસંગોને કારણે અસંખ્ય દૃશ્યબંધો રચવા પડ્યા છે. જે ગતિને અવરોધે અને બેક સ્ટેજ ટીમની કસોટી કરી લે તેવું કપરું કામ છે. નાનાં મોટાં કુલ ૩૮ પાત્રો ને સાચવવા માટે બીજા ઓછામાં ઓછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy