SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦] કપિંજલ વંજુલ : રૌહિણેય : સમયે રાજાજી ક્યાં બિરાજે છે તે તો કહે ! રાજાજી તો આ સમયે મનોરમ ઉદ્યાનમાં પધારેલા મહાવીર સ્વામીનું વ્યાખ્યાન સાંભળી રહ્યા હશે. : તો તો તું પણ ત્યાં જ જતો હશે ને ? ભલે, તું ત્યાં પહોંચ. હું તો મંત્રીશ્વરના આદેશ-અનુસાર નગર-કોટવાલ કીનાશના અંગરક્ષક રૂપે તેની સેવામાં જઇશ. [ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) વળી, Jain Education International (બન્ને જાય છે.) પડદો (દૃશ્ય ૨) (રૌહિણેય ચાલ્યો આવે છે.) પોતાના પ્રાણના ભોગે, પણ જે ધાર્યું ના કરે નકામા ફોતરાં જેવા તુચ્છ તે માણસો ખરે ! (૨) ચોરીની ચતુરાઇ હોય યદિ ને હોયે ઘણું સાહસ હોયે જો પગ સજ્જ, ને ધનતણી લિપ્સા ઘણી હોય જો લોકોને ઠગવાનું કૌશલ અને જો શૌર્ય હો હું-મહીં તો જેથી ધનવૃદ્ધિ ને યશ મળે એવું કરું હું કશું (૩) ઝાઝા નિર્ધન લોકને ફરીફરી લૂંટું, ન તે યોગ્ય છે લૂંટું કાયર-કીર્તિહીન જનને તેમાં ન ઔચિત્ય છે કોઈ રાજમહાલયે યદિ કરું સંપત્તિ કે સ્રીતણી ચોરી, તો સઘળાય ચોર-ગણમાં રાજા ગણાઉં ખરો ! (૪) પણ...રાજભવનમાં પ્રવેશ કરવો સરળ તો નથી ! ત્યાં તો ચોમેર શૂરા રાસુભટોનો અખંડ અને જાગતો ચોકીપહેરો હોય; એને ભેદીને પ્રવેશ કરવો કોઈ રીતે શક્ય નથી. વળી, આવા વિષયમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy