SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩] [૪૭ કરી શકે. અરે, તારામાં જરા જેટલુંયે સામર્થ્ય હોત એ ચોરને પકડવાનું, તો મારી આ પ્રજાને આવી આપત્તિઓના ભોગ ના બનવું પડ્યું હોત ! વાતોએ વડાં ના થાય, સમજયો ? અભયકુમાર : (પુનઃ પ્રણામ કરીને) દેવ! આ કામ મને જ સોંપો; કૃપા કરો મારા પર ! વણિક જનો સ્વામી ! મંત્રીશ્વરની વાત યોગ્ય છે. આ કાર્ય એમને સોંપાય એ જ ઉચિત છે. અભયકુમાર : દેવ ! યુદ્ધમાં શત્રુને હણે ભલે સૈનિક, પણ માહાભ્ય તો રાજાનું જ ગણાશે. અરુણોદય થતાં જ અન્ધકાર દૂર ભલે થાય, પણ તેનું નિદાન તો સૂર્ય જ ગણાય. માટે બીજા વિચારો ગૌણ કરીને મારી વાતમાં સંમત થાવ. રાજા : (વિચારપૂર્વક હળવા પડતાં) ભલે, તો એમ કરો. પણ તું કેટલા દિવસમાં એ ચોરને બન્ધનગ્રસ્ત કરીશ તેની સ્પષ્ટતા કર ! અભયકુમાર ઃ મહારાજ! જો પાંચ-છ દિવસમાં હું ચોરને પકડીને આપની સમક્ષ પ્રસ્તુત કરું તો જ “હું બુદ્ધિમાન છું' એમ માનજો. રાજા : ભલે મારે વધારે નથી સાંભળવું; નથી કહેવું. તું વિના વિલંબે કાં તો ચોરને લાવ, કાં તારું મસ્તક ઊતારી આપ ! બસ... અભયકુમાર ઃ (અંજલિબદ્ધ) દેવ ! મોટી કૃપા કરી ! વણિકો : (હર્ષભેર) સ્વામી ! હવે ઉપદ્રવ કરનારાઓનું આવી બનવાનું. સુખની વેલડી હવે શીધ્ર વિકસવાની. (નેપથ્યમાં) એમાં શો સદેહ ? કલ્યાણ ઉલ્લસવાનું, નર્તન વિલસશે અવ પ્રીતિનું દોષો બધા વિરમી જવાના, સંપદાઓ વિકસશે; અણકહ્યું સુખ થાશે, ઉપદ્રવ સર્વ સહુના અટકશે અણચિંતવ્યો આ નગરનાં સૌભાગ્ય પણ અવ ઉઘડશે (૨૫) રાજા : અરે, આ તો આપણા સુમુખનો સ્વર ! (ત્યાં તો હરખાતો હરખાતો સુમુખ આવે છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy