________________
પ્રકરણ ૪૧ મું
૩૩૯
જેવા નખવાળા ને પત્થર જેવી અંગુલીવાળા મહાકાય રાક્ષસને જે રાજાએ પૂછ્યું;
“હું આ અવંતીનગરીને રખેવાળ ક્ષેત્રપાળ છું. નગરીનું ને નગરીના અધિપતિનું હું રક્ષણ કરવાવાળો છું.” હુંકાર શબ્દથી ભૂમિને ગજવતે દૈત્ય બોલ્યું. તું કેણુ છે ! '
ક્ષેત્રપાળને કહ્યું “હું પરદેશી મુસાફર છું. મારું નામ વિક્રમ છે.” રાજા છે .
તું પરદેશી મુસાફર મને જોઇને પણ ના ડર્યો? તને જરાય મારે ભય ન લાગ્યો?
તને જોઈને ડરવાનું શા માટે ? તું તો કહે છે કે હું રાજાનું ને નગરીનું રક્ષણ કરનાર ક્ષેત્રપાળ છું, તે કહે ત્યારે, રાજાની સ્થિતિ અત્યારે કેવી છે. ?
એ બિહામણે પિશાચ જ્ઞાનથી જોઈને બે “રાજા અત્યારે ભારે સંકટમાં છે, પેલી ઘાંચણ દેવદમનીએ એને ભારે સંકટમાં નાખ્યો છે. એ દેવદમનીના પંજામાંથી રાજા છટકી શકે તેમ નથી. દેવતા કે દૈત્યને પણ દમન કરનારી દેવદમનીને જાણ્યાપિછાણ્યા વગર તેની સાથે દુત રમવાની રાજાએ ભારે ભૂલ કરી છે! મોટું ભાગ્ય હોય તો જ રાજા દેવદમનીના સકંજામાંથી છુટે, ભાઈ! ” દૈત્યની વાણુ સાંભળી રાજ ઠરી ગયે.
ત્યારે તે ક્ષેત્રપાળ! તમે એવું કંઈક કરે કે જેથી આ સંકટમાંથી રાજા છુટે અને દેવદમનીને જીતે ? રાજાએ ત્રાહિત તરીકે વકીલાત કરી.
તે તારી આગળ કહેવાથી શું? રાજા મને બલિ વગેરે આપીને પૂછો તે તેને ઉપાય બતાવીશ.” ક્ષેત્રપાળે એ મુસાફરની દલીલ તેડી નાખી. .