Book Title: Vikram Charitra Yane Kautilya Vijay
Author(s): Shubhshil Gani
Publisher: Vidyanand Sahitya Prakashak Granthmala
View full book text
________________
પ33
પ્રકરણ ૬૩ મું નગર સ્વગપુરી સાથે પણ સ્પર્ધા કરનારું હજી રાજાએ જોયું નથી, તેથી કુવાના દેડકાની માફક રાજા ગર્વને ધારણ કરે છે. પ્રિયે! એ રત્નકેતુપુર નગર, રત્નચંદ્ર રાજ, એની રત્નાવતી રાણું અને સૌભાગ્યસુંદરી રાજકન્યા–એ ચાર અજાયબીની સમાનતામાં આ રાજા અને નગરી વિગેરે સુવર્ણના આગળ રહેલા અંગારા સમાન છે.” રાજા સાંભળે તેવી રીતે શુક પિતાની શુકીને એ કથન સંભલાવીને આકાશમાં ઉડી ગયો.
શુકની વાણી સાંભળી રાજા વિચારમાં પડયો, “અમાપ અને અગણિત દ્રવ્યનો વ્યય કરી મારી નગરીને મેં સાવ સેનાની બનાવી દીધી, છતાં આ શુક્યુગલ આવાં મર્મ વચન મને સંભળાવીને કેમ ઉડી ગયું ? ” આથી રાજા મનમાં દુ:ખી થયે.
રાજાએ પિતાના મંત્રી મતિસાર આગળ રત્નકેતપુરનગર, રત્નચંદ્ર રાજા, રત્નાવતી રાણું અને સૌભાગ્યસુંદરી રાજકન્યા સંબંધી શુકનું કહેલું કથન કહી સંભળાવ્યું; અને એ નગરની તપાસ કરવાને રાજાએ અનેક સેવકને ચારે દિશાએ મોકલ્યા. ચારે દિશાએ ભ્રમણ કરતા રાજાના એ સેવકે નગરીની વાત પણ સાંભળી શક્યા નહિ. શ્રમથી થાકી ગયેલા અને નિરાશ થયેલા રાજસેવકે શ્યામસુખ વાળા થઈને પાછા આવી રાજાની આગળ અધમુખવાળા ઉભા રહ્યા. - રત્નકેતુનગરની ભાળ ન મળવાથી રાજા કાષ્ઠભક્ષણ કરવાને તૈયાર થયો. રાજાને ઉતાવળ કરતે જે મંત્રીઓ ચમકયા, “મહારાજ ! એમ ઉતાવળે આંબા કઈ પાકે નહિ. જરા ધીરજ ધરે ! વાતવાતમાં કોઈ કાષ્ઠભક્ષણ થાય નહિ. »

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604