Book Title: Vikram Charitra Yane Kautilya Vijay
Author(s): Shubhshil Gani
Publisher: Vidyanand Sahitya Prakashak Granthmala

View full book text
Previous | Next

Page 584
________________ પ્રકરણ ૬૬ મું પપ સ્ત્રીઓ ઘરમાં પૂરાઈ જશે, ને મારા અંતઃપુરની રમણીઓ પણ મારા હુકમથી તમારી નજરે નહિ પડે તે માટે હું અત્યારથી જ બંદોબસ્ત કરું છું. પણ તમારે આવવું તે પડશે જ ) રાજાની વાત અરિમન રાજાએ માન્ય કરી. પછી રાજા રત્નચંદ્ર પિતાના નગરમાં ગયે. બધી વ્યવસ્થા કરી મહેમાનોને આવવા માટેનો રસ્તો સાફ કર્યો. નગરાને શોભાયમાન રીતે શણગારીને તેમ જ રસેઇ વિગેરે તૈયાર કરીને રાજાને તેડાવ્યા. રજા અરિમન પોતાના પરિવાર સાથે નગરીની શોભા જોતા જોતા રાજમહેલમાં આવ્યા. રાજાએ નરષિણિની બાજુના મહેલમાં રાજાને ઉતારો આપે. ભજન વિગેરેથી રાજાએ મહેમાનનું ગૌરવ વધાર્યું. ભેજન વિગેરેથી પરવારી અરિમર્દન રાજા પોતાના ઉતારામાં આવ્યા. રત્નચંદ્ર પણ ત્યાં આવી રાજા પાસે વાતો કરવા લાગ્યા. બન્નેની વાત ભાતને અંતરે રહેલી નરàષિણ સાંભળી શકે તેમ હતું. ગુપ્તપણે મહેમાનની વાતે સાંભળવાને તે પણ આતુર રહેલી હતી. સૌભાગ્યસુંદરી પોતે નરષિણ હતી; રાજા નારીàષિ હતા. તેથી એને મન પણ કઈક આશ્ચર્ય તે હતું જ. વાત કરતાં અરિમર્દન રાજાને રત્નચકે પૂછયું, “હે રાજન ! તમને સ્ત્રીએને દ્વેષ કેમ થાય છે? એવા કયા કારણે તમે સ્ત્રીÀષી થયા છે?” હાજન! પૂર્વભવના ઋણાનુંબંધથી! અથવા પૂર્વભવની સ્ત્રીને સંતાપથી હું સ્ત્રીષી થયે છું:” એ તમારે પૂર્વભવ જરા વિસ્તારથી કહે તે ખરા! ” રાજાના પૂછવાથી અરિમર્દન રાજાએ પોતાને પૂર્વભવ કહી સંભળાવે શરૂ કર્યો, જે કથા ગુપ્તપણે

Loading...

Page Navigation
1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604