________________
પ્રકરણ ૧૯ મું
૫૦૧
રૂદનનિ સાંભળ્યા; જાગૃત થને વીનારાયણને ખેલાવી એ સ્ત્રીના રૂદનનું કારણ જાણવાને મેાકલ્યા. રાજાની આજ્ઞાથી વીરનારાયણ નગરીના કિલ્લાનું ફાળથી ઉલ્લઘન કરીને નગરીની બહાર આવ્યા. અને રૂદન કરતી સ્ત્રીની પાસે આવી ખેલ્યા; હું સ્ત્રી! આવી માઝમ રાતે તમારે રૂદન કરવાનું શું કારણ છે તે કહે ! '”
6.
“હું આ રાજ્યની અધિષ્ઠાત્રી કુલદેવી છું. આ બળતા અગ્નિકુંડમાં અત્યારે ચાસઠ જોગણી રાજાને ખેંચી લાવી પોતાની તૃપ્તિને માટે હામીને ભાગ લેશે, અને રાજા વિનાનું રાજ્ય થઇ જશે, માટે હું રૂદન કરૂં છું; કારણકે આ રાજાને એવા કોઈ સાહસિક સેવક નથી કે જે પેાતાના શરીરનો ભાગ આપી રાજાતુ રક્ષણ કરે. ”
દેવીનુ વચન સાંભળી વીરનારાયણ એક્લ્યા, “ હું... જ રાજાનો વફાદાર સેવક છું, તે અગ્નિમાં હોમાઇ જવાની વિધિ મને કહેા ! '
૮ એ કાર્ય કરવાને કોઇ શક્તિવાન નથી તે। કહીને પછી શું કરૂ? ”
,,
“કોઈ શક્તિવાન છે કે નહિ એ જાણવાનું તમારે શુ પ્રયાજન છે? તમે તમારે રક્ષાનો વિધિ જે હોય તે કહો.”
વીરનારાયણનાં વચન સાંભળી દેવી ખેોલી, “ હું વીર ! ત્રીશ લક્ષણા પુરૂષના બલિદાન વગર જોગણીઓ તૃસી પામશે નહિ, અને ત્રીશ લક્ષણા પુરૂષ તરીકે તુ તા અને રાજા બન્ને છે. બીજું કાઈ નથી. ”
66
રાજા તેા વિશ્વને આધારરૂપ જગતનો પાલનહાર છે, પણ હું તેા તેનો એક સેવક છું. મારા જેવાના ભેાગથી એ વિધાધારપુરૂષની રક્ષા થતી હાય તા હું મારા ભાગ આપીશ.” વીરનારાયણ મેલ્યા.