________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
જગતને ભૂલી આપની ભક્તિમાં એકતાનપણે લીન થઈ જાઉં. ।।૩૨।।
૪ ૮
મૈત્રી આદિ ચાર ભાવનાઓનું સંપૂર્ણ સ્વરૂપ જાણવા માટે કે સકળ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણવા માટે સત્શાસ્ત્રો આપણને પરમ ઉપકારી છે. જ્ઞાનીપુરુષના વિરહમાં તો તે સુપાત્ર જીવને સંસારથી તરવા માટે પરમ આઘારભૂત છે.
“આત્માદિ અસ્તિત્વના, જે નિરુપક શાસ્ત્ર;
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આઘાર સુપાત્ર.'' આત્મસિદ્ધિ શાસ્ત્ર
એક અપેક્ષાએ જોતાં ભગવાનની પ્રતિમા કરતાં પણ સત્શાસ્ત્રોનો આપણા ઉપર પરમ ઉપકાર છે. કારણ કે ભગવાનની પ્રતિમાનું માહાત્મ્ય જણાવનાર પણ તે જ છે. સાસ્ત્ર કહો કે ભગવાનની વાણી કહો બન્ને એક જ છે. એવા સત્શાસ્ત્રોનું પરમ માહાત્મ્ય છે, જે આગળના પાઠમાં વિસ્તારથી વર્ણવે છેઃ—
(૭) સત્શાસ્ત્રનો ઉપકાર
*
અહોહો! પરમ શ્રુત-ઉપકાર! વિને શ્રુત પરમ આધાર.-ધ્રુવ. પરમ શાંતિ પામ્યા તે નરને, નમું નિત્ય ઉલ્લાસે; પરમ શાંતિરસ પ્રેમે પાયે, વર્તે તે વિશ્વાસે. -અહોઠો પરમ શ્રુત-ઉપકાર. ૧
અર્થ : અહોહો! શ્રુત એટલે શાસ્ત્રોનો મારા ઉપર પરમ ઉપકાર છે. ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવનાર દીવા જેવા શ્રુતનો અમને પરમ આધાર છે.
પરમ એટલે ઉત્કૃષ્ટ આત્મશાંતિને પામ્યા એવા શ્રી પરમકૃપાળુ પરમાત્માને હું નિત્ય ઉલ્લાસભાવે નમસ્કાર કરું છું. જે અમારા આત્માને પરમ શાંતિ ઊપજે એવો જ્ઞાનરસ પ્રેમપૂર્વક પાએ છે. માટે હું સદા તેમના વિશ્વાસે જ વસ્તું અર્થાત્ તે કહે તેમ જ કરું, તેમની આજ્ઞામાં જ મારું ક્લ્યાણ માનું. અહોહો ! આશ્ચર્ય છે કે શ્રુતજ્ઞાને અમારા ઉપર પરમ ઉપકાર કર્યો છે. ।।૧।।
સર્જીત શાંત રમે છલકાતું શાંત સરોવર જાણે,
શાંત રસ-હેતુએ સર્વે ૨સ ગર્ભિત પ્રમાણે અહોહોર
અર્થ :— શાંતરસુધી છલકાતું એવું સશ્રુત તો જાણે શીતળ જળથી ભરેલ શાંત સરોવર હોય તેવું ભાસે છે. કે જે બીજા અનેકની તૃષા છીપાવવા સમર્થ છે.
તે સમ્રુત એટલે સત્શાસ્ત્રોમાં મુખ્ય શાંતરસનું પ્રતિપાદન કરેલ છે, બીજા પણ તેમાં વી૨૨સ, હાસ્યરસ, વિભત્સરસ કે શ્રૃંગા૨૨સ આદિનું વર્ણન હોય, પણ તે માત્ર શાંતરસરૂપ ઔષધને આપવા માટે ‘ગોલ સાથે ગોલી’ આપવાની જેમ વર્ણવેલા છે.