________________
૧૪ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- જેને પાંચ ઇન્દ્રિયો છે પણ મન નથી તે બિચારા જીવો તો શું વિચાર કરી શકે? પણ મનસહિત પંચેન્દ્રિય જીવો પણ મોહવશ કર્મના પૂરમાં તણાય છે અને દેહના મોહમાં તલ્લીન થઈને રહે છે. ૩૮ાા
બીજા કોઈ વિચારીને સંસાર તરવા ચહે,
ઉન્માર્ગે વર્તતાં માને મોક્ષનો માર્ગ, જે ગ્રહે. ૩૯ અર્થ– બીજા પ્રકારના જીવો જે સંસાર સમુદ્રને દુઃખરૂપ જાણીને તરવા ઇચ્છે છે પણ ઉન્માર્ગે એટલે કલ્યાણથી વિપરીત માર્ગે વર્તતાં છતાં પોતે ગ્રહેલ માર્ગને જ મોક્ષનો માર્ગ માને છે.
“જુદા જાદા ઘર્મની નામક્રિયા કરતા એવા જીવો, અથવા સ્વચ્છેદ-પરિણામી એવા પરમાર્થમાર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહીત જીવો તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે.” (વ.પૃ.૨૯૪) //૩૯માં
અસગુરું મનાવે તે માનને ભવ ગાળતાં,
આગ્રહો ગ્રહી ચૂકે તે, સત્યયોગ મળે છતાં. ૪૦ અર્થ:- ઉપર જણાવેલ બીજા પ્રકારના જીવો અસદ્ગુરુ જે મનાવે તે પ્રમાણે માનીને પોતાનો ભવ ગાળે છે. તથા મતનો આગ્રહ ગ્રહણ કરવાથી સાચા સદગુરુનો યોગ મળતો હોય તો પણ તેને ચૂકે છે.
“પ્રત્યક્ષ સગુરુયોગમાં, વર્તે દ્રષ્ટિ વિમુખ;
અસગુરુને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય.” -શ્રીમદ્ રાજચંદ્ર//૪૦ણી ત્રીજા જ્ઞાની સુવૈરાગી, સાક્ષી, બોઘસ્વરૂપ છે,
ઉદાસીનપણે કર્તા દેખાતા, આત્મતા ભજે. ૪૧ અર્થ – ત્રીજા પ્રકારના જીવો તે જ્ઞાની છે. જે સમ્યક્ઝકારે વૈરાગ્યને ઘારણ કરનાર છે, પર પદાર્થના તે સાક્ષીભૂત જ્ઞાતા દ્રષ્ટા છે, બોઘસ્વરૂપ એટલે જ્ઞાનસ્વરૂપ છે, ઉદાસીનપણે એટલે અનાસક્તભાવે માત્ર કર્મના કર્તા દેખાય છે પણ સદા આત્મતા એટલે આત્મસ્વરૂપને ભજનારા છે.
“સ્ત્રી, પુત્ર, મિત્ર, ઘનાદિ પ્રાપ્તિ અપ્રાપ્તિ એ આદિ ભાવને વિષે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, અથવા થયા કરે છે; સ્વચ્છેદ-પરિણામ જેનું ગણિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. વિચારવાની છે તેને યથાબુદ્ધિએ,સગ્રંથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દોષરહિત એવું સ્વરૂપ તેને વિષે ઉત્પન્ન હોય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને બીજે બીજે પ્રકારે વિચારવા, સંભારવા યોગ્ય છે.” (વ.પૃ.૨૯૪) //૪૧||
ગાળી સ્વચ્છેદભાવો તે ઉદયાથી વર્તતા,
સંયોગે ન તદાકાર, મોક્ષ માટે જ જીવતા. ૪૨ અર્થ - તે જ્ઞાની પુરુષો પોતાના સ્વચ્છેદભાવોને ગાળી માત્ર ઉદયાથીનપણે વર્તે છે. પ્રાપ્ત સંયોગોમાં પણ તદાકાર થતા નથી, પણ માત્ર મોક્ષ પ્રાપ્તિને માટે જ જીવે છે.
એવા જ્ઞાની પુરુષો સ્વયં સાચું જીવન જીવી જગતના જીવોને માર્ગદર્શક રૂપ થાય છે. I૪રા