Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 534
________________ ૫ ૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - રાવણ સમજી સીતાને પાછી નહીં સોંપી દે તો આવા કામથી તે કુલનો ક્ષય કરનાર થશે અને શ્રીરામ રાવણને હણી લંકાની લક્ષ્મી સાથે સીતાને લઈ જશે. વિભીષણને હનુમાને કહ્યું કે શ્રીરામ તમને સુજ્ઞ એટલે સારી રીતે નીતિના જાણકાર માનીને આપ પ્રત્યે અત્યંત પ્રેમ રાખે છે. આ વાત સાંભળીને વિભીષણ હનુમાન સાથે રાવણ પાસે જઈને વાત કરવા લાગ્યા. //પાના “પ્રિય ભાઈ, દૂત રામચંદ્રનો આવ્યો છે વિનતિ કરવા,” ભેટ ઘરી હનુમાન વદે ત્યાં: “કૃપા કરો વિનતિ ફળવા; દિન દિન વઘતા પુણ્યપ્રભાવે રામ અયોધ્યામાં વસતા, આપ અખંડ ત્રિખંડપતિને કુશળ સમાચારો પૂંછતા. ૨૬ અર્થ - વિભીષણે રાવણને કહ્યું : પ્રિય ભાઈ, આ રાજા રામચંદ્રનો દૂત તમને વિનંતી કરવા માટે આવ્યો છે. ત્યારે હનુમાન પણ ભેટ ઘરીને રાવણ પ્રત્યે બોલ્યા કે મારી વિનતિને ફળીભૂત કરવા કૃપા કરશો. પ્રતિદિન પુણ્યપ્રભાવે વઘતા શ્રીરામ અયોધ્યામાં રાજ્ય કરતા વિરાજે છે. તેમણે મને અહીં દૂતરૂપે મોકલ્યો છે. તે આપ જેવા અખંડ ત્રણ ખંડના પતિને પ્રથમ કુશળ સમાચાર પૂછે છે. IFરકા. વિદિત કરે : “બીજાની જાણી આપે સીતા છે આણી, પણ તે તો છે મુજ પટરાણી; પાછી મોકલો, નહિ હાણી.” નહિ તો વિનમિ-વંશ-શિરોમણિ મહાપુરુષને અણઘટતું, કર્મ ઘર્મ ને શર્મ વિઘાતક, પાપ પ્રગટ આ હડહડતું. ૨૭ અર્થ :- વળી શ્રીરામચંદ્ર રાજા આપને જણાવે છે કે આપે ભૂલથી સીતાને બીજા કોઈની જાણીને આણી છે, પણ તે તો મારી પટરાણી છે. માટે તેને પાછી મોકલી આપો, તો એમાં કંઈ હાનિ થઈ ગઈ એમ માનીશું નહીં. જો સીતાને પાછી નહીં મોકલો તો વિનમિ વંશના શિરોમણિ અને મહાપુરુષ જેવા આપનું આ અઘટિત કાર્ય, ઘર્મ અને શર્મ એટલે સુખનું વિઘાતક એટલે વિશેષ પ્રકારે ઘાત કરનાર બનશે; અને આ હડહડતું પ્રગટ પાપ જગતમાં સર્વત્ર પ્રસિદ્ધિ પામશે. ||રા સાગરનાં મોજાં મળ ત્યાગે, તેમ સીતા તજવા જેવી.” રાવણ કહે: “નથી આણી અજાયે આશ સીતાની તર્જી દેવી; માગ્યાથી તે નથી મળવાની ચક્રરત્ન સહ ર્જીતી લેવી.” મનમાંહીં હનુમાન હસેઃ “તક “તથાસ્તુ' ઝટ વદવા જેવી.” ૨૮ અર્થ – જેમ સાગરના મોજાં સમુદ્રના મળને કિનારા ઉપર ફેંકી દે છે તેમ સીતા પણ પરસ્ત્રી હોવાથી તજવા જેવી છે. ત્યારે રાવણ કહે હું એને અજાણપૂર્વક નથી લાવ્યો, જાણીને લાવ્યો છું; માટે સીતાની આશાને સર્વથા તજી દેવી. માગ્યાથી તે મળવાની નથી. સીતાને મેળવવી હોય તો અહીં આવી મને જીતી ચક્રરત્ન સાથે લઈ જાય. રાવણના નાશસૂચક આવા શબ્દો સાંભળીને હનુમાન મનમાં હસવા લાગ્યા કે આ તક ‘તથાસ્તુ' એટલે એમ જ હો એમ કહીને ઝડપી લેવા જેવી છે. ૨૮ પણ દંત-કાર્ય સ્મરી કહે મીઠા વચનેઃ “સીતા સોંપી દ્યો, પરસ્ત્રી-હરણ વિષે શી શોભા? કપટ પ્રગટ સુંઘારી લ્યો.”

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590