________________
(૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩
૫ ૧૩
એમ ગણીને તને હું હણતો નથી પણ જા મારા દેશમાંથી નીકળી જા. હું તને દેશનિકાલ આપું છું. હવે હું કોઈનું કહ્યું સાંભળવાનો નથી. //૫૧||
વિભીષણ વિચારે : “રાવણનો નાશ સમીપ જણાય ખરે! દેશનિકાલ સજા કરી સારી; રામ-શરણ ઉદ્ધાર કરે.” સૌજન્યસમાં વિભીષણ રાવણ તડેં ઝટ સાગર પાર ગયા,
લક્ષ્મણ આદિ કરે પરીક્ષા, નિપુણ વિભીષણ પાસ થયા. પર અર્થ :- આવા રાવણના કઠોર વચનો સાંભળીને વિભીષણ વિચારવા લાગ્યા કે રાવણનો નાશ હવે ખરેખર સમીપ જણાય છે. મને દેશનિકાલની સજા કરી તે સારું થયું. નહીં તો રાવણ સાથે મારો પણ વિનાશ થાત અને આવા અપયશકારી કલંકના છાંટા મને પણ ઉડત. શ્રીરામનું શરણ જ મારો ઉદ્ધાર કરી શકે એમ છે. એમ વિચારી સૌજન્યસમા એટલે ભલાઈનો ભાવ જેના હૃદયમાં છે એવા સજ્જન વિભીષણ, દુષ્ટ એવા રાવણને તજી દઈ શીધ્ર સમુદ્ર પાર જઈને શ્રી રામને મળ્યા. શ્રીરામે લક્ષ્મણ આદિને વિભીષણની પરીક્ષા કરવા કહ્યું કે ખરેખર તે આપણા પ્રત્યે સભાવવાળા છે કે નહીં તે પરીક્ષામાં નિપુણ એટલે હોશિયાર એવા વિભીષણ પાસ થયા. //પરા
ત્યાં હનુમાન કરે નિવેદન : “લંકા જઈ રાવણ પજવું, તો અભિમાની અહીં આવશે; સ્થાનભ્રષ્ટનું નહિ ટકવું.” રામચંદ્રની સંમતિ મળતાં, વિદ્યાઘર શૂરવીર લઈ
કપિવિદ્યાથી વાનર બની રંજાડે લંકા ત્રાસ દઈ. ૫૩ અર્થ - ત્યાં હનુમાને શ્રીરામને એમ કહ્યું કે હે દેવ! આપની આજ્ઞા હોય તો હું લંકામાં જઈને બગીચા વગેરેનો વિનાશ કરી રાવણને પજવું. જેથી તે રાવણ અભિમાની હોવાથી અહીં આવશે. અને પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલાને જીતવાનું કામ સહેલું બનશે.
શ્રી રામચંદ્રજીની સંમતિ મળતાં વિદ્યાધર હનુમાન બીજા પણ શૂરવીર અનેક વિદ્યાઘરોને સાથે લઈ લંકામાં ગયો. ત્યાં કપિવિદ્યાના બળે બઘા વાનર બની લંકાને રંજાડીને ત્રાસમય બનાવી દીધી. //પ૩ણા
રામ પૂંછે વિભીષણને કે “હજીં રાવણ કેમ જણાય નહીં?” કહે વિભીષણ, “વિદ્યા સાથે રાવણ આવે ક્યાંથી અહીં? લાગ ખરો લંકા લેવાનો સેના સહ ચાલો જઈએ,
પ્રજ્ઞપ્તિ વિદ્યાબળથી બહુ વિમાન-રચના કરી લઈએ.” ૫૪ અર્થ - હવે રામ વિભીષણને પૂછવા લાગ્યા કે હજી રાવણ કેમ દેખાતો નથી? ત્યારે વિભીષણ કહે તે તો લંકામાં નથી પણ આદિત્યપાદ નામના પર્વત ઉપર વિદ્યા સાથે છે તેથી અહીં ક્યાંથી આવે?
હવે લંકા લેવાનો ખરો લાગે છે. માટે સેનાની સાથે ચાલો જઈએ. પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળે બધી સેનાને લઈ જવા માટે ઘણા વિમાનોની રચના કરી લઈએ. //૫૪
રામ કહે : “શુભ નભ રસ્તે તે સાગર પાર જર્ફેર જઈએ, આજુબાજુથી વિદ્યાઘર સૌ, પ્રથમ બળે જીતી લઈએ.”