________________
૫ ૧૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સમુદ્ર વિદ્યાઘર ચઢી આવ્યો, નીલે ઝટ બાંઘી લીથો;
રામે મુક્ત કરી નિજ રાજ્ય ડાંગર સમ રોપી દીઘો. ૧૫ અર્થ - ત્યારે શ્રીરામ કહે: તમારા કહેવા પ્રમાણે શુભ આકાશ માર્ગે તે સાગર પાર આપણે જરૂર જઈએ અને આજુબાજુમાં રહેનારા સૌ વિદ્યાઘરોને પ્રથમ બળવડે જીતી લઈએ. તેમ કરતાં સમુદ્ર નામનો વિદ્યાઘર ચઢી આવ્યો. તેને નીલ નામના વિદ્યાઘરે ઝટ બાંધી લીઘો. તેને શ્રીરામે મુક્ત કરાવીને પોતાના રાજ્યમાં ડાંગર સમાન રોપી દીઘો, અર્થાતુ પોતાની આજ્ઞા માન્ય કરાવી દીધી. પપાયા
પ્રાન્ત ભાગના વિદ્યાઘર સૌ રામ-શાસને આવી ગયા, રણજંગે રાવણને હણવા સૌ એકત્ર સુ-સજ્જ થયા. ઈન્દ્રજિત રાવણસુત લંકા-રક્ષક કહે : “દેવો, આવો,
લડવા ચાલો રામ-સૈન્ય સહ, શૂરવીર વણી બાંથી લાવો.” ૫૬ અર્થ -પ્રાન્ત ભાગના એટલે લંકાની સીમામાં છેડાના ભાગમાં રહેતા બધા વિદ્યાઘરો શ્રીરામના શાસનમાં આવી ગયા. રણજંગ એટલે મોટા યુદ્ધ મેદાનમાં રાવણને હણવા માટે બધા વિદ્યાઘરો સુસજ્જ થઈને એકત્ર થયા. આદિત્યપાદ પર વિદ્યા સાધ્ય કરવા જ્યારે રાવણ ગયો ત્યારે લંકાનું રાજ્ય પોતાના પુત્ર ઇન્દ્રજિતને સોંપી ગયો. જેથી હવે લંકાના રક્ષક જેવો ઇન્દ્રજિત કહેવા લાગ્યો કે હે દેવો! આવો આવો. રામની સેના સાથે લડવા ચાલો અને તેમની સેનામાંથી શૂરવીરને વીણી વીણીને બાંધી લાવો. //પકા
(૪૫) નિર્દોષ નર - શ્રી રામ
ભાગ-૪
િળ
રાવણ પણ ઝટ આવી પહોંચે કટોકટીનો કાળ ગણી, સિદ્ધ કરેલા બઘા દેવતા કહે સ્પષ્ટ, “લ્યો આપ સુણીઃ પ્રબળ પુણ્યના ઉદયે કરતા અમે આપનું સર્વ કહ્યું,
હવે કરી શકીએ નહિ કાંઈ પૂર્વ પુણ્ય પરવારી ગયું.” ૧ અર્થ - રાવણ પણ આવી કટોકટીનો કાળ જાણી ઝટ લંકામાં આવી પહોંચ્યો. ત્યાં સિદ્ધ કરેલા બધા દેવતાઓ સ્પષ્ટપણે કહેવા લાગ્યા કે આપ અમારી વાત સાંભળી લ્યો. આપના પ્રબળ પુણ્યના ઉદયે અમે આપને આજ દિવસ સુધી સર્વ કહ્યું કરતા હતા. પણ હવે અમે આપનું કંઈ પણ કાર્ય કરી શકીએ એમ નથી. કારણ કે આપનું પૂર્વનું પુણ્ય પરવારી ગયું છે અર્થાત્ પૂરું થઈ ગયું છે. /૧ાા.
અભિમાનીને ઊંધું સૂઝ, સત્ય શિખામણ ગણે નહીં, ક્રોથ કરી રાવણ કહે : “જાઓ, નથી કોઈનું કામ અહીં.