SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - રાવણ સમજી સીતાને પાછી નહીં સોંપી દે તો આવા કામથી તે કુલનો ક્ષય કરનાર થશે અને શ્રીરામ રાવણને હણી લંકાની લક્ષ્મી સાથે સીતાને લઈ જશે. વિભીષણને હનુમાને કહ્યું કે શ્રીરામ તમને સુજ્ઞ એટલે સારી રીતે નીતિના જાણકાર માનીને આપ પ્રત્યે અત્યંત પ્રેમ રાખે છે. આ વાત સાંભળીને વિભીષણ હનુમાન સાથે રાવણ પાસે જઈને વાત કરવા લાગ્યા. //પાના “પ્રિય ભાઈ, દૂત રામચંદ્રનો આવ્યો છે વિનતિ કરવા,” ભેટ ઘરી હનુમાન વદે ત્યાં: “કૃપા કરો વિનતિ ફળવા; દિન દિન વઘતા પુણ્યપ્રભાવે રામ અયોધ્યામાં વસતા, આપ અખંડ ત્રિખંડપતિને કુશળ સમાચારો પૂંછતા. ૨૬ અર્થ - વિભીષણે રાવણને કહ્યું : પ્રિય ભાઈ, આ રાજા રામચંદ્રનો દૂત તમને વિનંતી કરવા માટે આવ્યો છે. ત્યારે હનુમાન પણ ભેટ ઘરીને રાવણ પ્રત્યે બોલ્યા કે મારી વિનતિને ફળીભૂત કરવા કૃપા કરશો. પ્રતિદિન પુણ્યપ્રભાવે વઘતા શ્રીરામ અયોધ્યામાં રાજ્ય કરતા વિરાજે છે. તેમણે મને અહીં દૂતરૂપે મોકલ્યો છે. તે આપ જેવા અખંડ ત્રણ ખંડના પતિને પ્રથમ કુશળ સમાચાર પૂછે છે. IFરકા. વિદિત કરે : “બીજાની જાણી આપે સીતા છે આણી, પણ તે તો છે મુજ પટરાણી; પાછી મોકલો, નહિ હાણી.” નહિ તો વિનમિ-વંશ-શિરોમણિ મહાપુરુષને અણઘટતું, કર્મ ઘર્મ ને શર્મ વિઘાતક, પાપ પ્રગટ આ હડહડતું. ૨૭ અર્થ :- વળી શ્રીરામચંદ્ર રાજા આપને જણાવે છે કે આપે ભૂલથી સીતાને બીજા કોઈની જાણીને આણી છે, પણ તે તો મારી પટરાણી છે. માટે તેને પાછી મોકલી આપો, તો એમાં કંઈ હાનિ થઈ ગઈ એમ માનીશું નહીં. જો સીતાને પાછી નહીં મોકલો તો વિનમિ વંશના શિરોમણિ અને મહાપુરુષ જેવા આપનું આ અઘટિત કાર્ય, ઘર્મ અને શર્મ એટલે સુખનું વિઘાતક એટલે વિશેષ પ્રકારે ઘાત કરનાર બનશે; અને આ હડહડતું પ્રગટ પાપ જગતમાં સર્વત્ર પ્રસિદ્ધિ પામશે. ||રા સાગરનાં મોજાં મળ ત્યાગે, તેમ સીતા તજવા જેવી.” રાવણ કહે: “નથી આણી અજાયે આશ સીતાની તર્જી દેવી; માગ્યાથી તે નથી મળવાની ચક્રરત્ન સહ ર્જીતી લેવી.” મનમાંહીં હનુમાન હસેઃ “તક “તથાસ્તુ' ઝટ વદવા જેવી.” ૨૮ અર્થ – જેમ સાગરના મોજાં સમુદ્રના મળને કિનારા ઉપર ફેંકી દે છે તેમ સીતા પણ પરસ્ત્રી હોવાથી તજવા જેવી છે. ત્યારે રાવણ કહે હું એને અજાણપૂર્વક નથી લાવ્યો, જાણીને લાવ્યો છું; માટે સીતાની આશાને સર્વથા તજી દેવી. માગ્યાથી તે મળવાની નથી. સીતાને મેળવવી હોય તો અહીં આવી મને જીતી ચક્રરત્ન સાથે લઈ જાય. રાવણના નાશસૂચક આવા શબ્દો સાંભળીને હનુમાન મનમાં હસવા લાગ્યા કે આ તક ‘તથાસ્તુ' એટલે એમ જ હો એમ કહીને ઝડપી લેવા જેવી છે. ૨૮ પણ દંત-કાર્ય સ્મરી કહે મીઠા વચનેઃ “સીતા સોંપી દ્યો, પરસ્ત્રી-હરણ વિષે શી શોભા? કપટ પ્રગટ સુંઘારી લ્યો.”
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy