________________
૧૪૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
બહિરાત્મા તો મિથ્યા દ્રષ્ટિ જાણિયે, મૂળ દ્રવ્યનું જેને નહિ ઓળખાણ જો; બાહ્યદશામાં સંયોગે તલ્લીન તે દેહદૃષ્ટિને કિંચિત નહિ નિજ ભાન જો. જય૦ ૫
અર્થ :- હવે પ્રથમ બહિરાત્માના સ્વરૂપનું વર્ણન કરે છે :–બહિરાત્માને તો મિથ્યાદ્રષ્ટિ જ જાણો. કેમકે જેને મૂળ આત્મદ્રવ્યનું જ ઓળખાણ નથી.
બહિરાત્મદશાના કારણે જે હમેશાં પરપદાર્થના સંયોગમાં જ તલ્લીન રહે છે. એવા દેહદ્રષ્ટિવાળા જીવને તો કિંચિત્ માત્ર પણ પોતાના આત્મસ્વરૂપનું ભાન નથી. પણ
કર્મભાવમાં તન્મય તેની વૃત્તિ છે, માને કે “સુંદર', “શ્યામસ્વરૂપ” જો, હું જાડો’, ‘હું કૃશ”, “નીરોગી” “રોગ” કે “બ્રાહ્મણ’, ‘ભંગી' “નર” “નારી” તદ્રુપ જો.” જય૦ ૬
અર્થ :- કર્મોને લીધે ઉત્પન્ન થતાં રાગદ્વેષના ભાવોમાં જ તેની સદા તન્મય વૃત્તિ છે. જે દેહને જ પોતાનું સ્વરૂપ માને છે. જેથી હું સુંદર છું કે શ્યામ છું, હું જાડો છું કે કુશ એટલે પાતળો છું, નીરોગી છું કે રોગી છું, બ્રાહ્મણ છું કે ભંગી છું, નર છું કે નારી છું, એમ તદ્રુપ એટલે તે રૂપોને જ જે પોતાનું સ્વરૂપ માને છે, તે બહિરાત્મા છે. કા.
દિગંબર” “શ્વેતાંબર”, “સાધુ “સાઘવી”, “વેદાન્તી”, “વૈષ્ણવ', વાબુદ્ધ', “ફકીર જો; માત, પિતા, પતિ, પત્ની, ઘન સંબંઘની ‘દેખત-ભેલીમાં બહુ મૂંઝાય બહિર જો. જય૦ ૭
અર્થ – હું દિગંબર છું, શ્વેતાંબર છું, સાધુ છું, સાધ્વી છું, વેદાન્તી છું, વૈષ્ણવ છું, અથવા બુદ્ધ છું કે ફકીર છું એમ પોતાને માને છે. માતા, પિતા, પતિ, પત્નિ કે ઘન આદિ પૂર્વ કર્માનુસાર થયેલ સંબંઘને જોઈ જોઈને “દેખત ભૂલી'માં પડ્યો છે. તે બહિર એટલે બહિરાત્મા આ પર પદાર્થોને પોતાના માની, જોઈને રાગદ્વેષ કરી પોતાના વાસ્તવિક આત્મસ્વરૂપને ભૂલી મોહમાં બહુ મૂંઝાય છે. Iળા.
દેહ, દેશ, જ્ઞાતિ ખ્યાતિ મારાં ગણી, અપયશ, દુખ શત્રુવટ ના ભૂંસાય જો;
અંતગ્રથિ ગાઢ કલ્પનાની વણી બહિરાત્મા હા! સંસારે રેંસાય જો.” જય૦ ૮ અર્થ - જે દેહમાં પોતે રહેલ છે તેને તથા જે દેશમાં કે જ્ઞાતિમાં પોતે જન્મ્યો છે તેને અને ખ્યાતિ એટલે કીર્તિ આદિને પોતાના માને છે. તેથી ક્યાંય અપયશ થઈ જાય તો પોતે દુઃખી થાય છે અને તેના પ્રત્યે શત્રુવટનો ભાવ રાખે છે; જે ભુસાવવો મુશ્કેલ થઈ પડે છે. આવી કલ્પનાની અંતગ્રંથિને ગાઢ વણી, આ બહિરાત્મા હા! આશ્ચર્ય છે કે આ સંસારમાં રેંસાય છે અર્થાત્ રીબાય છે. આવી બહિરાત્મદશાને દૂર કરનાર શ્રીમદ્ સગુરુ રાજચંદ્ર પ્રભુનો આ જગતમાં જય જયકાર હો. ૮ાા.
(૨) સદ્ભાગ્યે જો સદ્ગશ્યોગે જીવને કેવળી કથિત સુઘર્મ સ્વરૅપ સમજાય જો,
તો વિષયાદિક દેહસુખો દુઃખો ગણે, આત્માના સુખ કાજે ઉદ્યમી થાય જો. જય૦ ૯ હવે બીજી અંતરઆત્મદશાનું સ્વરૂપ સમજાવે છે :
અર્થ :- સદ્ભાગ્યનો ઉદય થતાં જીવને સગુયોગે કેવળી પ્રરૂપિત સાચા આત્મધર્મનું સ્વરૂપ જો સમજાય તો પાંચ ઇન્દ્રિયના વિષયથી ઉત્પન્ન થતા દેહસુખો તેને દુઃખરૂપ ભાસે અને આત્માના સ્વભાવથી