________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
કર્મબંધનું આઠમું કારણ માઠા ભાવો છે. તેથી જીવઅંતર્મુહૂર્ત માત્રમાં પણ સાતમી નરકનું આયુષ્ય બાંધી લે છે.
૨૯૮
:
પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત :– પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પણ ઘ્યાનમાં લડાઈના ભાવો કરી સાતમી નરક સુધીના કર્મના દલીયા બાંધી લીધા. પણ તરત જ પાછા ફરી તે બધા કર્મ ખપાવી દેવળજ્ઞાન પણ પ્રગટાવી લીધું એવી આશ્ચર્યકારી ભાવની લીલા છે. ।।૮।।
મદમાતો માને કરી રે ભમે અોગતિમાંય રે-ગુરુજીને વંદીએ રે. સ્વજનો પણ ત્રાસી જતાં રે ક્રૂર સુખી નહિ ક્યાંય રે ગુરુજીને વંદીએ રે. ૯
૧૦
અર્થ :— નવમું બંધનું કારણ માન છે. કુલ, જાતિ, રૂપ, ઘન, બળ, તપ, જ્ઞાન અને ઐશ્વર્ય એમ આઠ પ્રકારના મદમાં માતો એટલે મસ્ત બનીને માનમાં તણાઈ જઈ અધોગતિમાં જીવ ભમ્યા કરે છે.
જેમ સુભુમ ચક્રવર્તીએ છ ખંડ સાધી લીઘા છતાં હું બારે ખંડ સાધું તો વિશેષ નામાંકિત થઈ જગતમાં મોટો ગણાઈશ. એમ કરવાથી સમુદ્રમાં તે બુડી મુઓ.
દશમું બંઘનું કારજ્ઞ ક્રૂર ભાવ છે. ક્રૂરતાના સ્વભાવ વડે સ્વજનો પણ ત્રાસી જાય છે તથા પોતે પણ ક્યાંય સુખી થતો નથી.
કંસનું દૃષ્ટાંત :– કંસે પોતાના પિતાને જેલમાં નાખી દીધા. તથા ક્રૂર સ્વભાવે વસુદેવ સાથે તેમના પુત્રોને આપી દેવાની શરત કરી. તે મેળવી મારી નાખ્યા. પણ દૈવયોગે બીજાને ત્યાંથી મરેલા પુત્રો જ તેને આપવામાં આવતા હતા. પણ તેવા ભાવના ફળમાં પોતે મરીને નરકે ગયો.
કોણિકનું દૃષ્ટાંત :– કોબ્રિક પણ રાજ્યના લોભે પોતાના પિતા શ્રેણિકને જેલમાં નાખી રોજ સો કો૨ડાનો માર મરાવતો હતો. તે પણ મરીને છઠ્ઠી નરકે ગયો. ।।૯।।
માયાવી' જન તુચ્છ છે રે ૫૨ને ઠગી ઠગાય રે-ગુરુજીને વંદીએ રે નિંદે નહિ નિજ દુષ્ટતા રે અઘોગતિમાં જાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૦
અર્થ ઃ— કર્મબંધનો અગ્યારમો પ્રકાર માયા છે. માયાવી જન તુચ્છ છે કે જે પ૨ને ઠગવાથી ખરી રીતે પોતે જ ઠગાય છે. જો તે પોતાની દુષ્ટતાને નિંદે નહીં તો મરીને અધોગતિમાં જાય છે.
“નૈગમ એક ના૨ી ઘૂતી પણ, ઘેબર ભૂખ ન ભાગી;
જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાનદિશા તવ જાગી. ભૂલ્યો બાજી –પૂજાસંચય (પૃ.૧૪૩) એક વાણિયાનું દૃષ્ટાંત = નૈગમ એટલે એક વાણિયાએ એક નારીને છેતરીને એક રૂપિયો વધારે કમાઈ લઈ તેના બદલામાં ઘરે ઘેબર બનાવડાવ્યા. પણ પોતે ઘેર ગયો તેના પહેલાં પોતાનો જમાઈ તેના મિત્ર સાથે આવીને તે ઘેબર જમી ગયો. તે જાણી પોતાની જ્ઞાનદિશા સદ્ગુરુના સંગથી સંગથી જાગૃત થઈ
કે અહો ! પાપ તો મેં કર્યું અને ઘેબર બીજા જ જમી ગયા. હવે કઠિ એવું પાપ થાય નહીં એમ વિચારી દીક્ષા લઈ પોતાનું કલ્યાણ કર્યું. ||૧૦||
લોભમ પાપનો બાપ છે રે કરે મુનિથી મુકાય રે-ગુરુજીને વંદીએ રે.
સાધુōવન જૅવવા કરો ૨ે સૌ સમ્યક્ ઉપાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૧
અર્થ :– બંઘમાર્ગનો બારમો પ્રકાર લોભ છે, લોભ પાપનો બાપ છે મુનિથી પણ કરે મુકાય છે,
=