________________
(૨૬) ક્રિયા
કારણ વિના પણ કરે રે મૂઢમતિ જીવ પાપ રે-ગુરુજીને વંદીએ રે. હિંસાની ક્રિયા કરે રે વેર વધારી અમાપ રે-ગુરુજીને વંદીએ રે. ૬ અર્થ :— બીજા પ્રકારમાં કારણ વિના એટલે વગર પ્રયોજને પણ મૂઢમતિ એવો આ જીવ અનર્થદંડ, વિકથાઓ કરે, નિંદા કરે, પાપોપદેશ કરે કે ટીવી વગેરે જોઈને રાગદ્વેષ કરી કર્મ બાંધ્યા કરે છે, અથવા હાલતા ચાલતા પાંદડા તોડે વગેરે. ત્રીજા પ્રકારમાં, જીવોને મારી હિંસા કરીને અમાપ વેર વધારી દે છે. જેમકે કોઈ સાપ કે વીંછીને જોઈ તેને ઝેરી પ્રાણી જાણી મારી નાખે છે.
૨૯૭
ત્રિપુષ્ટ વાસુદેવનું દૃષ્ટાંત – ભગવાન મહાવીરના જીવે પૂર્વે ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં ભૂજા વડે સિંહને ફાડી નાખેલ. તે સિંહનો જીવ ભગવાન મહાવીરના ભવમાં ખેડૂત થયો હતો. તેણે ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી, પણ ભગવાન પાસે આવતાં પૂર્વભવના વેરના સંસ્કારથી તે પાછો ભાગી ગયો. ૬]
પાપ અજાણ્યે પણ થતાં રે કર્મ સદા બંઘાય રે-ગુરુજીને વંદીએ રે. અવળી સમજણથી હણે રે જીવ નિર્દોષી ઘણાય રે-ગુરુજીને વંદીએ રે. ૭
અર્થ ::- ચોથા પ્રકારમાં અજાણપણાથી પણ જીવો પાપ બાંઘ્યા કરે છે, જેમકે પાણી, વનસ્પતિ આદિ પાંચ સ્થાવર જીવો છે, તેનો અલ્પ ઉપયોગ ન છૂટકે જરૂર પૂરતો જ કરવો જોઈએ. પણ તેનું યથાર્થ ભાન ન હોવાથી છૂટથી ઉપયોગ કરી કર્મ બાંધ્યા કરે છે. અથવા છઠ્ઠા ત્રસકાય પણ આપણા જેવા જીવો જ છે. તેની પણ રક્ષા કરવી જોઈએ.
પાંચમું કારણ જીવની અવળી સમજણ હોવાથી પણ બિચારા અનેક નિર્દોષ પ્રાણીઓ હણાઈ જાય છે. જેમકે અભક્ષ્ય પદાર્થો, મઘ, માખણ કંદમૂળ વગેરેમાં ક્યા જીવ છે એમ માની તેને સેવે છે,
શ્રેણિક રાજાનું દૃષ્ટાંત :– શ્રેણિક રાજા જેવા ભગવાન મહાવીર મળતાં પહેલા હિંસા વગેરેમાં પાપ છે એવી સમજણ ન હોવાથી નિશાન તાકી બાણ માર્યું, તે ગર્ભિણી હરણીના પેટને ચીરીને ઝાડમાં પેસી ગયું, તે હરણી અને તેનું બચ્ચું મરી ગયું. પણ તે સમયે અવળી સમજણના કારણે હિંસાનંદી રૌદ્રધ્યાન સેવવાથી નરકગતિનું આયુષ્ય બાંધ્યું. અને તેમને નરકગતિમાં જવું પડ્યું. ગા
જૂઠા વચને વીંટતો રેર્જીવ નિજ પાપ અનેક રે-ગુરુજીને વંદીએ રે. ચોરી કરી ભવમાં ભમે રે, માઠા ભાવે છેક રે-ગુરુજીને વંદીએ રે, ૮ અર્થ :— ગ્રંથ માર્ગનો છઠ્ઠો પ્રકાર તે ાઠ છે. જૂઠા વચન બોલી અનેક પ્રકારે જીવ પાપથી વીંટાઈ જાય છે. એક જૂઠને છુપાવવા અનેક જાઠ બોલે છે.
વસુદેવ રાજાનું દૃષ્ટાંત :- નારદ પર્વતના ચુકાદામાં વસુદેવ રાજા જૂઠ બોલવાથી દેવોએ
સિંહાસન પરથી તેને હેઠો નાખ્યો. મરીને તે સાતમી નરકે ગયો.
કર્મબંધનું સાતમું કારણ ચોરીની ક્રિયા છે. ચોરી કરીને જીવ આ લોકમાં નિંદાને પાત્ર બને છે. અથવા જેલ કે ફાંસીની સજાને પણ પામે છે.
:
લોહખુરચોરનું દૃષ્ટાંત – શ્રેણિકના પિતા પ્રસેનજિત રાજાના ભોજન સમયે એક ચોર અંજન આંજી તેમના ભેગો બેસી રોજ જમી લેતો. અંજન આંજવાથી તેને કોઈ જોઈ શકતું નહીં. મંત્રીએ યુક્તિથી ત્યાં પાંદડા પાથર્યાં. તે આવ્યો ત્યારે પાંદડાનો અવાજ થવાથી ધૂપ કર્યો. તેની આંખમાંથી અંજાન નીકળી ગયું. તેથી પકડાઈ ગયો. પછી આખા શહેરમાં ફેરવી તેને શૂળીએ ચઢાવ્યો. (ઉ.મા.ભા.ભાગ-૨)