________________
૫ ૦ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સ્કુરાયમાન થાય છે. જાણે આજે મને મારી તનુજા એટલે પુત્રી જ મળી ગઈ હોય એમ માનીને તે સીતા પ્રત્યે કહેવા લાગી કે બેટી! તું આજે તારી માતાની શિખામણને માન આપી, લંકાપતિ રાવણની વિનતિને કદી પણ માનીશ નહીં. શીલની રક્ષા કરવા માટે ઘણી જ સહનશીલતા રાખજે. ગાલા
ગગદ કંઠે વદતાં નેત્રે નીર વહે, સ્તન દૂઘ ઝરે; સહજ સ્નેહ મંદોદરીનો સીતાનાં નયને નીર ભરે. શત્રુદળમાં માતા સમ શીતળ શિખામણ સ્નેહ ભરી
સુણી, ઘડીભર લહે સીતા સુખ, વિયોગની ચિંતા વીસરી. ૧૦ અર્થ - આમ ગદ્ગદ્ કંઠે બોલતાં મંદોદરીના નેત્રમાંથી આંસુ વહેવા લાગ્યા, અને સ્તનમાંથી દૂઘ ઝરવા લાગ્યું. આવો સહજ સ્નેહ મંદોદરીનો જોઈને સીતાના નેત્રો પણ જળથી ભરાઈ ગયાં.
શત્રુઓના સમૂહમાં માતા સમાન શીતળતાદાયક પ્રેમભરી શિખામણ સાંભળીને સીતાને મન ઘડીભર સુખ થયું અને શ્રીરામના વિયોગની ચિંતાને તે વિસરી ગઈ. ||૧૦ના
સીતા-સ્નેહ નિહાળી નયને મંદોદરી કહે : “હું યાચું, અંબા-વિનતિ માની આજે ભોજન કર, કહું છું સાચું. તુજ પતિને તું નીરખી શકશે, ટકશે જો તુજ દેહ અહીં,
શરીર નભે આહારે, માટે લંઘન તું લંબાવ નહીં. ૧૧ અર્થ - સીતાની આંખોમાં પોતા પ્રત્યે સ્નેહ નિહાળીને મંદોદરી કહેવા લાગી : તારા પ્રત્યે મારી આ યાચના છે કે અંબા એટલે માતાની વિનતિને માનીને તું આજે ભોજન કર. હું આ તને સાચું કહું છું.
જો તારો આ દેહ ટકશે તો તારા પતિને પણ તું જોઈ શકીશ. આ શરીર આહારથી નભે છે. માટે હવે તું આ લંઘન એટલે ઉપવાસને લંબાવ નહીં, પારણું કરી લે. ||૧૧||
પતિદર્શનનો સંભવ કર્દીયે હોય ન તો પછ તપ તપવાં, મુજ વિનતિ નહિ માને તું તો ભોજન માટે સૌ તજવા.” સુણી સીતા વિચારે, “માતા નથી પણ મા સમ પ્રેમ ઘરે.'
સ્નેહસહિત મંદોદરી-ચરણે દ્રષ્ટિ દઈ તે નમન કરે. ૧૨ અર્થ - પતિના દર્શનનો કોઈ દિવસે સંભવ ન જ હોય તો પછી તમને તપવા જોઈએ. મારી આ વિનતીને તું નહીં માને તો હું પણ સર્વ પ્રકારના ભોજનનો ત્યાગ કરીશ.
આવી વાત સાંભળીને સીતા વિચારવા લાગી કે માતા નથી પણ માતાની સમાન જ મારા ઉપર પ્રેમ ઘરે છે. તેથી સ્નેહપૂર્વક મંદોદરીના ચરણમાં દ્રષ્ટિ દઈને તે તેમના ચરણમાં નમી પડી. ૧૨ા.
આસ-દુખે દુખ ઘરોં મંદોદરી લંકા નગર ભણી ચાલી; અણુમાને વિદ્યાબળથી રક્ષકને નિદ્રા અતિ આલી. કપિરૂપે તે સીતા સામે વિનય સહિત આવી બોલે :
“રામચંદ્રનો સેવક છું, લ્યો પત્ર;” લઈ સીતા ખોલે. ૧૩ અર્થ :- આત એટલે સ્વજન. સીતાને પોતાનું સ્વજન માનીને તેના દુઃખે મનમાં દુઃખ ઘરતી.