________________
૧૯૮
પ્રાવોધ વિવેચન ભાગ-૧
વાદળાની જેમ આ જગતમાં સર્વ અસ્થિર જન્નાય છે, છતાં આ મોહ મને કંઈ સવળું સૂઝવા દેશે નહીં. અને મારું આત્મઠિત કરવું રહી જશે. ।।૩૪।
ખાતાં મેણા કોદરા ભાન રહે નહિ જેમ, ભાન વિના ભવ-દુઃખ હું સહું મોવશ તેમ. ૩૫
અર્થ :– જેમ મેલા કોદરા ખાવાથી તેના નશા વડે કંઈ ભાન રહેતું નથી તેમ મારા સ્વરૂપના ભાન વગર હું પણ મોહવશ સંસારના અનંત દુઃખોને સહન કર્યા કરું છું, ।।૩૫।।
એમ વિચારી અંતરે સદ્ગુરુ-શરણે જાય,
ઉત્તમ દીક્ષા આઠરે, અવધિજ્ઞાની થાય. ૩૬
=
અર્થ :– એમ અંતરમાં વિચાર કરીને અરવિંદ રાજા સદ્દગુરુના શરણે જઈ ઉત્તમ દીક્ષા આદરીને પુરુષાર્થ કરી અવધિજ્ઞાની થયા. ।।૩૬।।
સાર્થવાહ સંગે મુનિ યાત્રા અર્થે જાય,
સલ્લી વનમાં આવતાં કોપ્યો તે ગજરાય. ૩૭
અર્થ :– હવે એ મુનિ કોઈ સાર્થવાહની સાથે યાત્રા અર્થે જતાં તે સલ્લકી નામના વનમાં આવ્યા. ત્યાં તે મરુભૂતિનો જીવ જે હાથી થયો હતો તે આ બધા સાથેવા વગેરેને જોતાં કોપાયમાન થયો. ।।૩૭।। છિન્નભિન્ન કરી સંઘને માર્યાં પ્રાણી અનેક,
જે
મુનિ ભણી દોડચો કરી મદઝરતો અવિવેક, ૩૮
અર્થ :— આખા સંઘને છિન્નભિન્ન કરીને તેણે અનેક પ્રાણીઓને મારી નાખ્યા. મદઝરતો અવિવેકી એવો તે કરી એટલે હાથી હવે અરવિંદ મુનિ ભણી દોડવા લાગ્યો. ।।૩૮।।
આત્મદર્શીના દર્શને, પૂર્વિક પાપ પળાય, પુણ્યતફળ ચાખતાં, શાંતિ ૨ ભળાય, ૩૯
અર્થ :— આત્માનું દર્શન જેને થયેલ છે એવા આત્મદર્શી અરવિંદમુનિના દર્શન માત્રથી તેના પૂર્વે કરેલા પાપ ભાગવા લાગ્યા, અર્થાત્ પાપની અવધિ પૂરી થવા લાગી અને પુણ્યરૂપી વૃક્ષના ફળનો ઉદય થયો. તે ફળનો રસ ચાખતા તેના હૃદયમાં શાંતિનો ઉદય થયો. ।।૩૯।।
મુનિ-ઉર પર શ્રીવત્સનું દેખી લક્ષણ સાર,
ગજ જાણે અરવિંદ આ, પૂર્વસ્મૃતિ-અનુસાર. ૪૦
અર્થ - અરવિંદમુનિના હૃદય ઉપર શ્રીવત્સ એટલે સાર્થીઓનું સારભૂત લક્ષન્ન જોઈને હાથીને
=
જાતિસ્મરન્નજ્ઞાન ઊપજ્યું તેથી જાણ્યું કે ઓહો! આ તો મારા પૂર્વજન્મના અરવિંદ રાજા છે. II૪૦
મુનિચરણે માથું Ăકી કરતો પશ્ચાત્તાપ,
કૃપા કરી મુનિ બોધ દે હરવા ગજસંતાપઃ ૪૧
અર્થ :– હવે મુનિભગવંતના ચરણમાં માથું મૂકીને તે હાથી પશ્ચાત્તાપ કરવા લાગ્યો. મુનિ પણ કૃપા કરીને હાથીનો સંતાપ દૂર કરવા બોથ દેવા લાગ્યા. ।।૪૧||