________________
૧૧૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સામાન્ય વિપ્ર સમક્ષ શું આ માનભંગ ખમાય કે?
તેના ગુરું પાસે વિવાદે હારતાં શું જાય છે?” ૨૯ અર્થ - અતિ ગૂઢ અર્થ ભરેલ કાવ્યથી આ બ્રાહ્મણ મને મૂંઝવે છે પણ સર્વજ્ઞ કે શ્રુતકેવળી વિના આનો ઉત્તર કોણ આપી શકે? સામાન્ય એવા આ વિપ્ર એટલે બ્રાહ્મણ સમક્ષ મારું માનભંગ કેમ ખમી શકાય? એનાં કરતાં તો તેના ગુરુ પાસે જઈ વિવાદ કરીને હારતાં શું જાય છે? ગારો.
એવું વિચારીને વદેઃ “હે વિપ્ર, તુજ ગુરુની કને આનું વિવેચન કરી, વિવાદે જીતવાનું મન મને.” તે પાંચસો શિષ્ય લઈ, સૌ ભાઈ સાથે ઊપડ્યો;
વાટે વિચારેઃ “વિપ્રને ઉત્તર નથી દેવા જડ્યો; ૩૦ અર્થ - ઇન્દ્રભૂતિ ગૌતમ આવું વિચારીને કહેવા લાગ્યા કે હે વિપ્ર ! તારા ગુરુની પાસે આ પ્રશ્નનું વિવેચન કરી, વાદવિવાદ કરીને જીતવાનું મારું મન છે.
એમ કહી પોતાના પાંચસો શિષ્યો તથા સર્વ ભાઈઓને સાથે લઈ ભગવાન મહાવીર પાસે જવા રવાના થયો. રસ્તામાં વિચારે છે કે આ વિપ્રના પ્રશ્નોનો ઉત્તર કાંઈ જડ્યો નહીં. ૩૦ના
કેવા ય તેના ગુરુ હશે, તો જીતવાની આશ શી? તો પણ સમાગમ સપુરુષનો થાય પુણ્ય-વિકાસથી, નહિ હાનિ તેમાં કોઈ રીતે; યોગ્ય આ સૌ થાય છે.”
શુભ માનસ્તંભો દેખતાં મદ વિપ્રનો ગળી જાય છે. ૩૧ અર્થ :- તો એના ગુરુ પણ કેવા હશે? માટે જીતવાની કંઈ આશ જણાતી નથી. તો પણ એવા સપુરુષોનો સમાગમ ઘણા પુણ્યની વૃદ્ધિ થયે થાય છે. તેમાં કોઈ રીતે હાનિ તો નથી જ. આ સૌ યોગ્ય જ થઈ રહ્યું છે એમ વિચારતાં વિચારતાં પ્રભુના સમવસરણમાં આવેલ માનસ્તંભોને દૂરથી જોતાં જ વિપ્ર એવા ઇન્દ્રભૂતિ ગૌતમનું મદ ગળી ગયું. [૩૧ાા
પછી નમ્ર ભાવે દિવ્ય વિતિ દેખી મંડપમાં ગયા, ત્યાં દિવ્યમૂર્તિ શ્રી મહાવીર દેખી આનંદિત થયા; અતિ ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા દઈ ચરણે નમે,
સ્તુતિ કરે બહુ ભાવથી, પ્રભુનામ મનને બહુ ગમે. ૩૨ અર્થ - પછી નમ્રભાવથી ભગવાનના અતિશયોથી પ્રગટેલી આ દિવ્ય વિભૂતિને જોઈ તેઓ મંડપમાં પ્રવેશ્યા. ત્યાં દિવ્યમૂર્તિ ભગવાન શ્રી મહાવીરને જોઈ ખૂબ આનંદ પામ્યા. હવે ઇન્દ્રભૂતિ ગૌતમ અતિ ભક્તિવડે પ્રભુને પ્રદક્ષિણા દઈ તેમના ચરણમાં નમી પડ્યા. તથા પ્રભુની ઘણા જ ભાવથી સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુનું નામ તેમના મનને બહું જ પ્રિય લાગ્યું. ૩રા
“હે! ઘર્મરાજા, ઘર્મચક્રી, ઘર્મી, ઘર્માત્માગુરું સુંધર્મનેતા, ઘર્મઘોરી, ઘર્મર્તા, જગગુરું; હે શ્વેર્મબાંઘવ, ઘર્મ-થી, ઘર્મશ, ઉતીર્થકર, ૧૩વિભુ, હે વિશ્વનાયક, વિશ્વજ્ઞાયક, વિશ્વનાથ, નમું પ્રભુ. ૩૩