________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
સર્વ બાહ્ય અને અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી સંતોષભાવ લાવી પંચ મહાવ્રત ધારણ કરવાને બદલે જગતની પર એવી પૌદ્ગલિક વસ્તુઓ મેળવવાનો અભિલાષ રાખવો એ બીજી દુઃખશય્યા છે. પંચેન્દ્રિયના ભોગોનો ત્યાગ કરી સંયમમાં આવી, અંત સમયે પાપની આલોચના કરવી જોઈએ તેના બદલે તે ભોગોની ઇચ્છા કર્યા કરવી તે ત્રીજી જીવને દુઃખકારક એવી શય્યા અર્થાત્ પથારી જાણવી. અંતસમયે જગતના સર્વ વિક્લ્પોથી મુક્ત થઈ ઘીરજ રાખીને આત્માને નિરાકુલ બનાવવો જોઈએ; તેના બદલે ભાવોમાં જો આકુળતા જ રહી તો તે પણ જીવને અધોગતિમાં લઈ જનાર હોવાથી ચોથી દુખીથ્યા જ જાણવી. ।।૪૪
૧૩૪
ચારે દુખશય્યા તજે તો સુખશય્યા આપ;
પણ ના સાલે દુઃખ તો ટળે શી રીતે તાપ ? ૪૫
અર્થ :ઉપરોક્ત ચારેય પ્રકારની દુઃખશય્યાને જો જીવ તજે તો પોતાનું સ્વરૂપ જ સુખશય્યારૂપ ભાસશે. પણ જીવને સંસારના ત્રિવિધ તાપનું દુઃખ જ સાલે નહીં અર્થાત્ ખૂંચે નહીં તો તે ત્રિવિધ તાપનું દુઃખ કેવી રીતે ટળે ? ।।૪૫૦
નિજ દોષો દેખી હશે તે જ મુમુકૢ જીવ,
મૂળ દોષ મિથ્યાત્વને હણી, વરે સુખ શિવ. ૪૬
અર્થ :— પોતાના દોષો જોઈ, તેને દૂર કરશે તે જ મુમુક્ષુ જીવ જાણવો. સર્વ દોષોનું મૂળ પરને પોતાના માનવારૂપ અથવા પરમાં સુખ બુદ્ધિરૂપ મિથ્યાત્વ છે. તેને જે હણશે તે મુમુક્ષુ જીવ શિવસુખને વરશે અર્થાતુ પામશે. ‘દીઠા નહીં નિજ દોષ તો, તરિયે કોણ ઉપાય ?' -શ્રીમદ્ રાજચંદ્ર ||૪૬॥
આત્મા સૌષ્યસ્વરૂપ છે, નિજ ગુણ શય્યા ઘાર,
અનંત ચતુષ્ટથી વર્યા. તે પ્રભુ મુજ આધાર. ૪૭
અર્થ :પોતાનો શુદ્ધ આત્મા જ અનંત સુખસ્વરૂપ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ'' ” છે. તથા આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણો જ સાચી સુખશય્યાના મૂળ આધાર છે.
પોતાના આત્માના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોઇનીય અને અંતરાય કર્મનો ક્ષય કરી ક્રમશઃ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતસુખ અને અનંતવીર્ય, જે અનંત ચતુષ્ટય કહેવાય છે તેને જે પામ્યા એવા પ્રભુ મારા આત્માના ક્લ્યાણ માટે પરમ આઘારરૂપ છે. ૪૭ા
જે સમ્યગ્દષ્ટિપણે શ્રદ્ધે શુદ્ધ સ્વરૂપ, ગુરુકૃપાથી તે તરે ભવસાગર દુઃખરૂપ. ૪૮
અર્થ :જે જીવ સમ્યક્દ્રષ્ટિ પામીને આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરશે તે ભવ્ય પ્રાણી ગુરુકૃપાથી દુઃખરૂપ એવા ભવસાગરને જરૂર તરી જઈ શાશ્વત સુખશય્યાને પામશે. ।।૪૮।।
ચાર સુખશય્યા પ્રાપ્ત કરવા માટે, ચાર ગતિમાં રઝળતા જીવોના વ્યાવહારિક ભેદ જાણવા જરૂરના છે, કે જેથી ચોરાશી લાખ જીવયોનિમાં ભટકવાનું જીવને બંથ કેમ થાય અને તેનો ઉપાય શોથી જીવ શાશ્વત સુખ શાંતિને પામે, તે ભેદો નીચે પ્રમાણે વિસ્તારથી વર્ણવવામાં આવે છે –