________________
(૬) મૈત્રી આદિ ચાર ભાવના
४७
જીવનું મન ન દુભાઓ, એવી કરુણાભાવનાને જે ભાવે છે, તેને સાચો દયાવાન જાણવો. રશા
કોઈ દેવ-ગુરુ નિંદે, વેરથી પડી આનંદે,
સમર્થ તોય ખમીબુંદે એ ઉપેક્ષાવાન છે. ૨૮ અર્થ :- કોઈ અજ્ઞાની જીવ દેવ, ગુરુભગવંતની નિંદા કરે, અથવા કોઈ વેરભાવથી પીડા આપી. આનંદ માને; તેને નિવારવા પોતે સમર્થ છે છતાં આત્મવિચારથી તેને ખમીખૂંદે તે જ ખરો ઉપેક્ષાવાન છે અર્થાત્ તે જ સાચો મધ્યસ્થ ભાવનાનો ઘારક પુરુષ છે એમ જાણવું. ૨૮.
મધ્યસ્થતા-નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧)
દેહભાવ ટળી જતાં, આત્મમાં નિમજ્જતાં,
સંસાર સૌ વિચારતાં અને ભગવાન એ. મૈત્રી ૨૯ અર્થ :- ઉપરોક્ત ચારેય યોગ્યતા આપનારી ભાવનાઓને ભાવતાં જ્યારે દેહભાવ ટળી જાય અને આત્મામાં નિમતાં એટલે આત્મામાં નિમગ્ન થતાં સંસારભાવની સર્વથા જેને વિસ્મૃતિ થાય તે પુરુષ ભગવાન બને છે. રા.
સુયોગથી શ્રવણ થાય, દુરાગ્રહો દંરે પલાય,
વિવેકદીપ પ્રગટાય સ્વભાવથી સુજાણ એ. મૈત્રી-૩૦ અર્થ – એવા ભગવાનસ્વરૂપ જ્ઞાની પુરુષનો સમ્યક્ યોગ થાય, તેના બોઘનું શ્રવણ થાય ત્યારે અનાદિના ખોટા આગ્રહો દૂર થાય છે. અને આત્મસ્વભાવમાંથી વિવેકરૂપી દીપકનો પ્રકાશ પ્રગટ થાય છે, તેને સુજાણ એટલે સમ્યતત્ત્વનો જાણનાર માનવો. (૩૦
સુભાવના સુકાર્ય-હેતુ દુર્દશાનો ધૂમકેતુ,
ભવોદધિમાંહી સેતુ પામે ભાગ્યવાન છે. મૈત્રી૦૩૧ અર્થ :- આ ચાર મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થતાની સમ્યભાવનાઓ તે આત્માના કલ્યાણરૂપ સુકાર્ય કરવાના હેતુ માટે છે. જે આત્માની અનંતકાળની અજ્ઞાનમય દુર્દશાને નાશ કરવા ધૂમકેતુ એટલે પૂછડીયા તારા જેવી છે. તેમજ ભવોદધિ એટલે સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતારવા માટે સેતુ એટલે પુલ સમાન છે. આ ભાવનાઓને જે ભાગ્યવાન પુરુષ છે તે જ પામી શકે. બીજા સામાન્ય વ્યક્તિનું ગજું નથી કે જે આ ઉત્કૃષ્ટ ભાવનાઓને ભાવી શકે. /૩૧ાા
કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંઘને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.” (વ.પૃ.૧૮૩)
અહો!પરમકૃપાળુનાથ, સાચો મને મળ્યો સાથ,
ગ્રહો હવે પ્રભુજીં હાથ, લાગો એકતાન એ. મૈત્રી ૩ર અર્થ :- અહો આશ્ચર્ય છે કે આવા ભયંકર ઠંડાઅવસર્પિણી કાળમાં પણ મને પરમકૃપાળનાથનો સાચો સાથ મળ્યો. માટે હે પ્રભુજી! હવે મારો હાથ ઝાલો અર્થાત્ મને સાચું માર્ગદર્શન આપો કે જેથી હું