________________
૮ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સંગનો ત્યાગ કરી રાજાએ હૃદયમાં ઉત્સાહ સહિત દીક્ષા ગ્રહણ કરી. /પલા
અંતે તજીને દેહ-મમતા વર સમાધિ, તે મરી સુખ ભોગવે સુરલોકનાં પણ ઘર્મ જાય ન વીસરી, શુભ ભાવના બહુ ચિંતવે, સમકિત-બળ ચિત્તે ઘરે,
ત્યાંથી ચ્યવીર હરિષેણ નૃપરૂપે અયોધ્યા અવતરે. પર અર્થ:- અંતમાં દેહની મમતાને છોડી દઈ સમાધિમરણને સાથી સાતમા દેવલોકમાં તેર સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાં દેવલોકના સુખ ભોગવે છે છતાં ઘર્મને કદી ભૂલતા નથી. ત્યાં રહ્યાં પણ શુભ ભાવનાઓનું ઘણું ચિંતવન કરે છે. તથા સમકિતના બળને ચિત્તમાં ધારણ કરીને રાખે છે. તેથી તે દેવલોકમાંથી ચ્યવી હરિષેણ રાજારૂપે હવે અયોધ્યા નગરીમાં અવતાર પામે છે. પરા.
(૧૦) મહાવીર દેવ
ભાગ ૨ (હરિગીત)
યૌવન વયે હરિષણ રાજા રાજ્ય-પદ-સુખ વિલસે. સમ્યકત્વ સહ યમ બાર ઘરી, મુનિભાવમાં મન ઉલ્લશેઃ
તે એક દિન વિચારતા વિવેકપૂર્વક શાંતિમાં કિ ને “હું કોણ છું? આ શરીર શું? ક્યાં સુધી ભમવું ભ્રાંતિમાં? ૧
અર્થ - યુવાવય પાયે હરિષેણ રાજા બની રાજ્ય પદના સુખ વિલાસને અનુભવવા લાગ્યા. સમકિત સાથે બાર યમ એટલે શ્રાવકના બાર વ્રતને ઘારણ કરીને મુનિ બનવાના ભાવથી તેમનું હૃદય ઉલ્લાસમાન રહેવા લાગ્યું. તે એક દિવસ શાંતિથી બેઠા વિવેકપૂર્વક વિચારવા લાગ્યા કે હું કોણ છું? આ શરીર શું છે? આ ભ્રાંતિમાં મારે ચાર ગતિમાં ક્યાં સુધી ભમ્યા કરવું? ૧ાા
અવિનાશી સુખ શાથી મળે? તૃષ્ણા શમે શાથી હવે? કર્તવ્ય શું સંસારમાં? વળી અહિત શું શું સંભવે? આ મોહ ને વિષયો સમું નથી અહિતકર્તા કોઈએ,
છે વિષયસુખ તો વિષ સમું, તપ આત્મહિતે જોઈએ. ૨ અર્થ :- જે સુખનો કદી નાશ નહી થાય એવું અવિનાશી સુખ શાથી પ્રાપ્ત થાય? હવે આ પરવસ્તુઓને મેળવવાની તૃષ્ણા શાથી શમે? આ સંસારમાં હું આવ્યો છું તો હવે મારે કરવા યોગ્ય શું હશે? વળી શું શું કરવાથી મારા આત્માનું અહિત થઈ શકે? એમ વિચારતાં લાગ્યું કે આ પરવસ્તુઓનો