________________
૯ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
વિચાર કરતાં, તે ભોગવવા યોગ્ય જણાતું નથી. એમ જાણી, પોતે પણ મુનિ બનીને શ્રુતના પારગામી થયા. ||૧પો
તપ બાર ભેદે આચરે, ધ્યાને રહે અતિ મગ્ન એ, મૈત્રીપ્રમુખ સૌ ભાવનાઓ ભાવતા મુનિ સુજ્ઞ તે, દર્શનવિશુદ્ધિ આદિ સોળે હેતુ તીર્થકરપદે,
વૃઢ ભાવથી ભાવી ઉપામ્યું જિન-બજ જે મોક્ષ દે. ૧૬ અર્થ - બાર પ્રકારના તપ આચરવા લાગ્યા તથા આત્મધ્યાનમાં વિશેષ મગ્ન રહેવા લાગ્યા. મૈત્રી છે પ્રમુખ જેમાં એવી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ સર્વ ભાવનાઓને ભાવતાં સુજ્ઞ એવા આ મુનિએ તીર્થંકર પદ પ્રાપ્તિના કારણરૂપ દર્શન વિશુદ્ધિ આદિ સોળે ભાવનાઓને દ્રઢ ભાવથી ભાવીને જિન-બીજ એટલે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. જે અનેક ભવ્યોને મોક્ષપદ આપનાર છે. ૧૬ાા
આરાઘના ઘારી સમાધિ-મરણ કરી મુનિ પામિયા શુભ ઇંદ્રપદ અય્યતર સ્વર્ગે સુખની ત્યાં પાર્ટી ના. સૌ સાહ્યબી પુણ્ય મળી તે ઘર્મનું ફળ જાણીને
ઉત્તમ રીતે આરાઘનાની યોગ્યતા નથી, માનીને- ૧૭ અર્થ - આમ આરાઘનાને ઘારણ કરી સમાધિમરણ સાથીને મુનિ બારમા અશ્રુત સ્વર્ગલોકમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળું ઇન્દ્રપદ પામ્યા. ત્યાં સુખની કંઈ ખામી નથી. ત્યાં ત્રણ હાથ ઊંચું શરીર છે. બાવીસ પખવાડિયામાં એકવાર શ્વાસ લેતા હતા. બાવીસ હજાર વર્ષમાં એકવાર માનસિક અમૃતનો આહાર લેતા હતા અને બીજા શ્રેષ્ઠ પ્રકારના ભોગોથી સદા તૃપ્ત રહેતા હતા.
આ સર્વ સાહ્યબી પુણ્યથી મળી છે અને તેનું કારણ પણ આ ઘર્મ છે, એમ જાણતા હતા. પણ ત્યાં દેવલોકમાં ઉત્તમ રીતે સંયમઘર્મ આરાઘવાની ગતિ આશ્રિત યોગ્યતા નથી. દેવો કે ઇન્દ્રો દેવલોકમાં સર્વ સંગ પરિત્યાગ કરી શકતા નથી. એમ માનીને આરાઘનાનો બીજો ઉપાય આચરતા હતા. /૧ળા.
યાત્રા, પૂંજા, ભક્તિ, શ્રવણ, ચર્ચાદિમાં ભવ ગાળતા; પ્રારબ્ધ પૂર્વિક ભોગવે, સમ્યકત્વથી મન વાળતા. આ ભારતમાં વિદેહ સમ વિદેહ દેશે નગર આ
કુંડલપુરી નામે વિરાજે બીજું અયોધ્યા સમું મહા. ૧૮ અર્થ - તીર્થ સ્થાનોની યાત્રા કરવી, પૂજા, ભક્તિ, ભગવાનના ઉપદેશનું શ્રવણ તથા ઘર્મચર્ચાઓ આદિથી દેવલોકમાં સમય નિર્ગમન કરવા લાગ્યા. ત્યાં પૂર્વનું બાંઘેલ પ્રારબ્ધ કર્મ ભોગવતા છતાં સમ્યક દર્શનના બળે મનને તે ભણીથી પાછું વાળવા લાગ્યા. હવે આ ભરતક્ષેત્રમાં વિદેહ સમાન વિદેહ નામના દેશમાં કુંડલપુરી નામનું સુંદર નગર છે. તે જાણે બીજી અયોધ્યા નગરી ન હોય એવું જણાતું હતું. ૧૮
ત્યાં શોભતાં શાં મંદિરો! શું ધ્વજા-કરથી તેડતાં? શું સ્વર્ગવાસી ઇન્દ્રભૂનમાં મુક્તિસુખ-રસ રેડતાં! સિદ્ધાર્થ રાજા, ત્રિશલા પટરાણીઃ દેવી દેવ બે; સૌઘર્મ ઇન્દ્ર છ માસ પહેલાં ભક્તિથી આદેશ દે૧૯