________________
૬ o
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
(૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર
(ઇન્દ્રવજા)
જે તીવ્રતા જ્ઞાનની અપ્રમાદે, સાથી, પ્રકાશી ગુરુ રાજચંદ્ર, ઈ તે સર્વ રીતે અવિરોઘ જાણી લેવું, નમી નિત્ય અગાઘ વાણી. ૧
અર્થ :- જે આત્મજ્ઞાનની તીવ્રદશાને અપ્રમાદપણે કહેતાં નિરંતર સદા આત્મજાગૃતિ સેવીને ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ સાધ્ય કરી તે જ આત્મદશા બીજા જીવો પણ પામે તેના માટે તે આત્મજ્ઞાન પ્રાપ્તિનો માર્ગ પરમકૃપાળુદેવે પ્રકાશ્યો છે. તે જ મોક્ષમાર્ગને સર્વ પ્રકારે અવિરોઘ જાણીને હું પણ એવું અર્થાત્ તેમના દ્વારા ઉપદિષ્ટ અગાધ એટલે અતિ ઊંડા ગંભીર આશયવાલા વચનોને સદા પ્રણામ કરીને હું પણ તે પ્રમાણે વર્તવા પ્રયાસ કરું.
“સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંઘનમુક્ત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે; જે અખંડ સત્ય છે.” (વ.પૃ.૪૫૪) I/૧ાા
આત્મજ્ઞ તો આત્મસમાધિ સાથી; જાગૃતિ સેવે, કદી ના પ્રમાદી,
તેથી સદા નિર્ભય હોય મેનિ; નિત્યે પ્રમાદે ભયમાં અમુનિ. ૨ અર્થ :- આત્મજ્ઞ એટલે આત્માને જાણનાર એવા જ્ઞાની પુરુષો તો પોતાના આત્માની સમાધિ એટલે આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર “સમાધિ' કહે છે.' એવી આત્મસમાધિને સાથી તે જ્ઞાની પુરુષો હંમેશાં સ્વરૂપ જાગૃતિ સેવે છે. અર્થાત્ પ્રમાદવશ થઈને કદી પણ સ્વરૂપને ભૂલતા નથી. તેથી તે આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ સદા નિર્ભય હોય છે. પણ નિત્ય પ્રમાદને સેવનારા મુનિઓ ચાર ગતિરૂપ સંસારમાં રઝળવાના ભયથી ગ્રસિત હોવાથી અમુનિ છે. મુનિનો વેષ હોવા છતાં પણ મુનિપણું નથી. કહ્યું છે કે –
“જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચાર કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.” (વ.પૃ.૪૫૧) //રા
આત્મા મળેલું સ્વછૂપે ય ભૂલે, ડૂબી પ્રમાદે, ભવમાં ફૈલે છે;
તેથી મહાશત્રુ ગણી તજો તે, શિક્ષા ઉરે કોતરી રાખજો એ. ૩ અર્થ – આત્માને પોતાના સ્વરૂપનું ભાન થયું હોય છતાં પ્રમાદવશ તે સ્વરૂપને ભૂલી જઈ, ફરીથી સંસારમાં રઝળતો થઈ જાય છે. “પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. (વ.પૃ.૧૬૪)
“ચૌદપૂર્વઘારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે “હવે મને ગુણ પ્રગટ્યો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું; કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે.” (વ.પૃ.૬૮૯) માટે પ્રમાદને પોતાનો મહાશત્રુ ગણી તજી દેજો. આ શિક્ષાને હૃદયમાં કોતરી રાખજો,