Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૩૯ નામ આપવામાં આવેલ છે, તે બરાબર છે, એમ સાબિત કરી આપવામાં આવેલું છે.
જેથી, કર્મ શબ્દમાં કૃ ધાતુથી ભાવ અને કર્મ માં થતા મન પ્રત્યય બેમાંથી ક્યા અર્થમાં છે ? અને વ્યાકરણની કર્મની વ્યાખ્યા અહીં શી રીતે લાગુ પડે છે ? વિગેરે પ્રશ્નોના ખુલાસા આ ગાથામાં આપવામાં આવેલી કમ શબ્દની વ્યુત્પત્તિ મારફત આપી દેવામાં આવ્યા છે.
એટલે કે-કમના રૂપમાં અમે આપેલી સ્વરૂપ કે લક્ષણ વ્યાખ્યા છે. અને ગાથામાં કર્મની વ્યુત્પત્તિ નિમિત્તક વ્યાખ્ય કરવામાં આવી છે. વાસ્તવિક રીતે, બન્નેય રીતે એક જ વાત સમ જવવાની છે. શ્રી દબાકારે વ્યુત્પત્તિની વ્યાખ્યા વધારે પટ કરી નથી તેનું કારણ સમજાયું નથી. કદાચ સંક્ષેપ ખાતર હશે. અથવા સ્વરૂપ વ્યાખ્યામાં ગર્ભિત રીતે કરી દીધેલી જણાય છે.
હવે આ ગાથાને ગાથાથ કરતાં જેણુ અને તો આ બે શબ્દો પ્રાથમિક અભ્યાસને બહુ ગુંચવે છે. અને અધ્યાપકને પણ તેને ખ્યાલ આપવાની મુશ્કેલી પડે છે. તેથી તેને ખુલાસો કરવો જરૂરી હોવાથી અત્રે સમજાવવામાં આવે છે–
જેણે એટલે “જે હેતુઓ વડે” એ અર્થ ન કરે. તેમજ-તો એટલે “તે હેતુ માટે” એ અર્થ ન કરવો. કેમકે એ બનેય શબ્દો “જીવ વડે કરીને કરાય, તે કર્મ કહેવાય છે.” એ જતના વાકયની બહારના શબ્દો છે,
તેને કમ એવું નામ કેમ આપવામાં આવ્યું છે ?” એ પ્રશ્નના જવાબમાં–
Ri [ પ્રાકૃત ] યેન શબ્દથી શરૂ કરવામાં આવે છે. અને તે પ્રાકૃત તતઃ [ સંસ્કૃત ] તેથી–એ શબ્દ જવાબને ઉપસંહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org