Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
રાધ કરે છે. છેવટે તમામ યાગને રાધ થઈ જાય છે. અને છેવટે સુમ કાયયેાગ પણ રાધ ચાલુ હાય છે, ત્યારે ૧૪મુ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. રોધ કરવાની વિધિ જાણવા જેવી છતાં સૂક્ષ્મ હાવાથી અહી લખી નથી.
૧૪ મું ગુણસ્થાનક
૩૬૩.
આ ગુણસ્થાનમાં મોક્ષમાં જવા માટે સંસારમાંથી ઉપડી જવાની
તૈયારી થાય છે. ગુલધ્યાના ૪ થાપાયાથી સૂક્ષ્મ કાયયેાગનુ
ધન થતાં જ આત્મા શરીરમાં ધન અને સ્થિર બની જાય છે. પ્રથમ આત્મા આખા શરીરમાં વ્યાપ્ત હતા તેમાંથી પોલાણના ભાગે પુરાઈ જતાં ૐ ભાગ ઘટીને 3 ભાગને ધત રહે છેઃ સત્તામાંની અને ઉદયમાંની પ્રકૃતિએ ખપી જાય છે. સૂક્ષ્મકાયયેાગ રુંધતી વખતે શરીરથી આત્માને છુટા પાડીને લેવાનું ઘણું ખરું મહા કામ પતી ગયું હોય છે. બાકીના કર્મોને ક્ષય થતાં જ એકજ સમયમાં મોક્ષમાં પહોંચી જાય છે. ૧૪ મા ગુણસ્થાનકના બધા કાળ અઇ ઉ ઋ લ એ પાંચ સ્વ અક્ષર ખેલીએ તેટલા જ હાય છે. શરી રથી આત્મા છુટા પડે છે, ત્યારે કેવી અને કેટલી બધી સુક્ષ્મ ક્રિયાઆ થાય છે ? તેને સુક્ષ્મ ચિતાર મોટા ગ્રંથમાં આ સ્થાને આપ વામાં આવેલે છે. અને કામણ-વૈજસ શરીર, કર્યાં અને સંસાર સબંધ છુટતાં જ પાવન આત્મા એક જ સમયમાં સીધેસીધા સિદ્ધશિલા ઉપર ઠેઠ લેકના અંત સુધી ચાલ્યા જાય છે. તે મોક્ષ થયે! કહેવાય છે.
આ પ્રમાણે ટુકામાં ૧૪ ગુણસ્થાનકાની સરળ સમજ આપી છે. વિશેષ સૂક્ષ્મ પચ-સંગ્રહ, કમ પ્રકૃતિ ટીકા વિગેરેમાં છે, તેમાંથી સમજી લેવા ખાસ પ્રયાસ કરવા બહુ આનંદદાયક અને સમજવા જેવા વિષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org