________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમું
છે કે - “હે ગૌતમ! જે માણસો જિનશાસનમાં એકાગ્ર ચિત્તવાળા થઈને, પ્રભાવના અને પૂજામાં તત્પર હું રહી, એકવીસ વાર કલ્પસૂત્રને સાંભળે છે તેઓ આ ભવરૂપી સમુદ્રને તરી જાય છે”.
એવી રીતે શ્રીકલ્પસૂત્રનો મહીમા સાંભળીને, કષ્ટ અને ધનના ખર્ચથી સાધી શકાય એવાં સંયમ, તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધર્મકાર્યોમાં આળસ ન કરવી; કારણ કે સર્વ સામગ્રી સહિત કલ્પસૂત્રનું શ્રવણ વાંછિત ફળને આપનારું છે. જેમ પાણી, વાયુ, તાપ વિગેરે સામગ્રી હોય તો જ બીજ ફલદાયક થાય છે તેમ આ કલ્પસૂત્ર પણ દેવ-ગુરુની પૂજા, પ્રભાવના, સાધર્મિકોની ભક્તિ વિગેરે સામગ્રી સહિત ઉપર કહેલા ફળના હેતુરૂપ થાય છે.
હવે વિશ્વાસી પુરુષના વચનમાં વિશ્વાસ આવે, તેથી આ કલ્પસૂત્ર બનાવનારનું નામ કહેવું જોઈએ. આ હિ કલ્પસૂત્રના રચનાર ચૌદ પૂર્વધારી યુગપ્રધાન શ્રી ભદ્રબાહુસ્વામી છે. તેઓએ પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમાં પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ ઉદ્ધર્યો, તેનું આઠમું અધ્યયન શ્રી કલ્પસૂત્ર છે. ચૌદ પૂર્વનું માન આ પ્રમાણે છે :
પહેલું પૂર્વ એક હાથી જેટલા મલીના ઢગલાથી લખી શકાય, બીજું બે હાથી જેટલાથી, ત્રીજું ચાર હાથી જેટલાથી, ચોથું આઠ હાથી જેટલાથી, પાંચમું સોળ હાથી જેટલાથી, છઠ્ઠું બત્રીસ હાથી જેટલાથી, સાતમું ! ચોસઠ હાથી જેટલાથી, આઠમું એકસો અઠ્યાવીશ હાથી જેટલાથી, નવમું બસો છપ્પન હાથી જેટલાથી,
'
For Private and Personal Use Only