________________
જેન સંઘની આધારશિલા
[ શ્રમણુસંધ જૈનસંઘને આધારસ્થંભ છે તો શ્રમણીસંઘ
જૈનસંધની આધારશિલા છે ] –લબ્ધિવિક્રમ સમુદાયનાં સાધ્વીજી શ્રી વાચંયમાશ્રીજી (બેન મહારાજ) જૈન ધર્મમાં તીર્થકર ભગવંતે તીર્થની સ્થાપના કરે છે ત્યારે સૌ પ્રથમ ચતુવિધ સંઘની સ્થાપના કરે છે....-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા....જેન ધર્મમાં આ ચતુવિધ સંઘનું અત્યંત મહત્ત્વ છે. આત્માની ક્રમિક વિકાસદશાને પામેલ સૌ પિતાના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. જેના મુખ્ય બે વિભાગ છે – વેતાંબર, દિગંબર...પણ, બંને મતમાં ચતુવિધ સંઘને સ્થાન છે.”
જૈન સંઘમાં જેટલા સાધુ પૂજ્ય છે એટલાં જ સાધ્વીજી પૂજ્ય છે. નવકાર મંત્રના પાંચમા પદમાં “સાહૂણં * પદ આવે છે... પણ, તેનો અર્થ સાધુ-સાધ્વીજી જ થાય. તેથી સાધુ સાધ્વી બંને પરમેષ્ઠિપદે બિરાજિત છે.
જૈન ધર્મ પુરુષપ્રધાન કહેવાય છે....પણ, તેમાં સાધ્વી કે શ્રાવિકાનું સ્થાન પૂજ્ય જ છે.
ધર્મતીર્થના વિકાસ-પ્રચાર અને પ્રભાવ ફેલાવવામાં મુનિ ભગવત-આચાર્ય ભગવંતોએ જે ફાળો આપે છે તે સુવર્ણાક્ષરે લિખિત સત્ય છે....
બીજી બાજુ એ વિશિષ્ટતા છે કે જૈન ધર્મમાં તીર્થકરની માતાની પ્રતિમા તીર્થકર સાહિત છે. પણ, તીર્થંકરના પિતાની પ્રતિમાઓ નથી. આજે પણ જિનજનની પરનું અત્યંત મહત્ત્વ છે..આબુ-દેલવાડા, રાણકપુર વિ. તીર્થોમાં જિનમાતાના પટ વંદનીય પૂજનીય છે..
જૈનોના પ્રસિદ્ધ તીર્થ સિદ્ધાચલમાં દેવાધિદેવ આદિ પ્રભુની સન્મુખ હાથીની અંબાડી ઉપર માતા મરુદેવ સહિત આદિપ્રભુની પ્રતિમા છે. તે જ જિનાલયના ઉપરના ભાગમાં માતા મરુદેવાની પ્રતિમા આદિ પ્રભુને ગેદમાં લઈ બેઠેલી છે.
જૈન શામાં કલ્યાણકાનું વર્ણન આવે છે ત્યાં ઇન્દ્ર આવી સૌ પ્રથમ માતાની સ્તુતિ કરે છે. બાદમાં પ્રભુની સ્તુતિ કરે છે. સૌ પ્રથમ પ૬ દિકુમારિકા પ્રભુજન્મ મહોત્સવ મનાવે છે.
જેમાં સવારના પ્રતિક્રમણમાં એક ખૂબ મહત્ત્વનું સૂત્ર બોલાય છે તે “ ભરફેસર બાહુબલી ની સઝાય...આ સૂત્રની ગાથામાં મહાત્માઓ ને મહાને શ્રાવકેને વંદના કરવામાં આવે છે... તે સૂત્રની ગાથા નંબર ૭ થી ૧૪ ગાથા સુધી મહાસતી-મહાસાધ્વીઓને વંદન કરવામાં આવે છે.... પ્રતિક્રમણનું આ સૂત્ર જેનાચાર્યો-ઉપાધ્યાયે સાધુ ભગવંતે-સાધ્વીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org