________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮-૯
૧૫
હોવાથી લબ્ધ પ્રતિષ્ઠાવાળા છે, તેથી જેમ દેવતાદિથી શક્રાદિ અલંઘનીય વાક્યવાળા છે, તેમ સુસાધુઓથી અલંઘનીય વાક્યવાળા ગુણવાન ગુરુ છે. ॥૮॥
ભાવાર્થ ઃ
ગુણવાન ગુરુ યોગ્ય શિષ્યને સંસારસાગરથી તારવામાં પ્રબળ કારણ છે, તેથી યોગ્ય શિષ્યમાં હંમેશાં પંચાચારના પાલનની વૃદ્ધિ થાય એ પ્રકારની ઉચિત આજ્ઞા આપે છે, તેથી આ ગુણવાન ગુરુ ઉચિત આજ્ઞા આપનારા છે, એ પ્રકારે ગુરુ લબ્ધ પ્રતિષ્ઠાવાળા હોય છે, એથી યોગ્ય શિષ્યોને કર્તવ્યવિષયક આદેશદાનમાં તેઓ અલંઘનીય વાક્યવાળા હોય છે, જેમ દેવતાઓ વડે શક્રાદિ અલંઘનીય વાક્યવાળા છે, વળી જેમ સુરગણને ઇન્દ્ર, ગ્રહ-ગણ અને તારાઓમાં ચંદ્ર, લોકોમાં રાજા તેમ સાધુગણમાં સન્માર્ગદાયક ગુરુ આનંદને દેનારા છે; કેમ કે યોગ્ય શિષ્યોને ઉચિત અનુશાસન આપીને સુખની વૃદ્ધિને કરનારા છે, માટે ગુરુનું વચન અત્યંત ભક્તિથી સાંભળવું જોઈએ. ॥૮॥
અવતરણિકા :
तदेवमपि स्थिते वयपर्यायाभ्यां लघुतरं गुरुं मत्या मन्दबुद्धिर्यः परिभवेत्तदनुशास्तिं दृष्टान्ते
નાહ
અવતરણિકાર્ય :
તે કારણથી આ પ્રમાણે પણ સ્થિત હોતે છતે=ગુણવાન ગુરુ શિષ્યોના સર્વ કલ્યાણનું એક કારણ છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, જન્મથી અને પર્યાયથી લઘુતર ગુરુને માનીને જે મંદ બુદ્ધિવાળો પરિભવને કરે અર્થાત્ ગુરુને પરિભવ કરે, તેની અનુશાસ્તિને દૃષ્ટાંત દ્વારા કહે છે –
ગાથા:
बालोत महीपालो, न पया परिहवइ एस गुरुउवमा । जं वा पुरओ काउं, विहरंति मुणी तहा सो वि ।।९।।
ગાથાર્થ ઃ
બાલ રાજા છે એ પ્રમાણે માનીને પ્રજા પરિભવ કરતી નથી, આ=આવા સ્વરૂપવાળી, ગુરુની ઉપમા છે, જે સામાન્ય સાધુને પણ=ગીતાર્થ સાધુને પણ, આગળ કરીને મુનિઓ વિચરે છે, તે પ્રમાણે આચાર્યની જેમ તેમનો પણ=સામાન્ય ગીતાર્થ સાધુનો પણ પરાભવ કરવો જોઈએ નહિ. III ટીકા –
महीपालो राजा बालः शिशुरिति मत्वा न प्रजा तदनुचरलोकस्तं परिभवति न्यक्करोति । एषैवंरूपा गुरोराचार्यस्योपमा गुरूपमा । आस्तां तावदाचार्यो यं वा सामान्यसाधुमपि वयः