________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[૨૯ કેમ કરી, ગુરુ કેવી રીતે સાધના કરી રહ્યા છે, શાસ્ત્રમાં શું વાત આવે છે, સમજાવનાર ગુરુ શું કરી રહ્યા છે, શું માર્ગ બતાવી રહ્યા છે તે પોતે ગ્રહણ કરે. પ્રયોજનભૂત-મૂળભૂત વાત ગ્રહણ કરે તો પમાય તેવું છે. વિશેષ શાસ્ત્રાભ્યાસ કરે તો જ પમાય એમ નથી, દિવસ અને રાત લગની લાગવી જોઈએ. બહારની રુચિ અને રસ હોય તો આ ન થાય, પણ આત્માનો રસ લાગવો જોઈએ. આ બહારનું બધું અંતરમાં નીરસ લાગે, અર્થાત્ અંતરમાંથી તેનો બધો રસ છૂટી જાય, તેની મહિમા છૂટી જાય તો આત્મપ્રાપ્તિ થાય. રસ એક આત્માનો લાગે, બીજી મહિમા છૂટી જાય, તથા સંસાર મહિમાવંત નથી, પણ મહિમાવંત મારો આત્મા જ છે એવું અંતરમાંથી લાગે તો થાય. મૂળ પ્રયોજનભૂત આત્માના સ્વભાવને ઓળખે એટલે કે મારા દ્રવ્ય-ગુણ-પર્યાય શું છે એમ મૂળ પ્રયોજનભૂત સ્વરૂપ સમજે તો આત્મા પમાય. તેના પુરુષાર્થમાં ખામી છે, પણ અંદરની ખરી લગની લાગે તો વારે વારે પુરુષાર્થ કરે, વારંવાર પુરુષાર્થ થાય. સાચી રુચિ હોય તો વારે વારે પુરુષાર્થ થયા જ કરે. જો રુચિ મંદ તો પડે તો વારંવાર પુરુષાર્થ કરી ઉગ્ર કરે. લગની અંદરથી લાગવી જોઈએ. આત્માની લગની અંદરથી લાગે તેને ક્યાંય ચેન પડે નહિ.
મુમુક્ષુ- લગની ઘણી લાગી છે પણ પુરુષાર્થ ઊપડતો નથી ?
બહેનશ્રી - લગની લાગે અને પુરુષાર્થ ન ઊપડે એવું બને જ નહિ, અને પુરુષાર્થ ન ઊપડે તો લગની જ લાગી નથી. અંદરથી તૃષા લાગી હોય તો તે પાણી ગોતવાનો પ્રયત્ન કર્યા વગર રહે જ નહિ પણ અંદર તરસ જ લાગી નથી. લગની લાગે તો પુરુષાર્થ થાય જ અને તો માર્ગ મળ્યા વગર રહે જ નહિ. ગુરુદેવે વિધિ ઘણી સ્પષ્ટતાથી બતાવી છે, પણ પોતાને અંદરથી લાગે તો વિધિ ગોતે ને? ખરેખર લગની લાગી જ નથી. વિધિ એક જ છે કે આત્માને ઓળખવો, આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરવું. આત્મા કોણ છે? આત્મા શાશ્વત છે તે કઈ રીતે છે? વગેરે વિચાર કરીને નક્કી કરે અને એકત્વબુદ્ધિ તોડવાનો પ્રયત્ન કરે. પરમાર્થ પંથ એક જ છે, પણ તે પોતે કરતો નથી. ૨૯. પ્રશ્ન- બહારની મીઠાશ હજી છૂટતી નથી, તો આત્મા મેળવવા શું કરવું? આગળ કેમ જવાય ? સમાધાન - આત્મા બધાથી જુદો કોઈ અપૂર્વ છે એમ આત્માને ઓળખે તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com