________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૬૪ ]
[સ્વાનુભૂતિદર્શન
પરમાત્મપ્રકાશમાં યોગીન્દ્રદેવ કહે છે ને! કે જીવને અનંતકાળથી જિનેન્દ્રદેવ નથી મળ્યા અને સમ્યગ્દર્શન પ્રાપ્ત નથી થયું. તે બે દુર્લભ છે. જિનેન્દ્રદેવ મળવા મુશ્કેલ છે, છતાં મહાભાગ્યે જિનેન્દ્રદેવ મળ્યા; પણ અંદ૨માંથી ગ્રહણ કર્યા નથી, એટલે ખરેખર મળ્યા નથી. અને એક સમ્યગ્દર્શન પ્રાપ્ત થવું મુશ્કેલ છે. તેથી આ બધા લાભની સાથે ચૈતન્યના લાભની દષ્ટિ રાખવી; ચૈતન્યનો લાભ લેવો, તે કરવા જેવું છે.
ચૈતન્યના લાભ ઉપર દૃષ્ટિ રાખવા જેવી છે કે ચૈતન્યનો લાભ કેમ થાય? ચૈતન્યનું અસ્તિત્વ કેમ ગ્રહણ થાય? હું આ ચૈતન્યસ્વરૂપ આત્મા છું એમ તેને ગ્રહણ થવો જોઈએ. માત્ર ગોખવાથી કે બોલવાથી તે નહીં થાય. જોકે તેની ભાવના થાય તે જુદી વાત છે; પણ તેના મૂળ અસ્તિત્વને ગ્રહણ કરવું. મારી અસ્તિ ચૈતન્યરૂપ છે. આ જે પ૨દ્રવ્ય દેખાય છે તે હું નહિ તેમ જ આ જે શુભાશુભભાવરૂપ વિભાવનું અસ્તિત્વ છે તે હું નહિ. મારું અસ્તિત્વ મારામાં છે, પણ બીજું અસ્તિત્વ મારામાં નથી; હું તેનાથી જુદો છું. જે સાધદશાની ક્ષણિક પર્યાયો થાય તે પણ મૂળ દ્રવ્ય નહિ, મૂળ દ્રવ્ય તો અખંડ સ્વરૂપે પૂર્ણ છે. આ પૂર્ણ સ્વરૂપ ઉપર દૃષ્ટિ કરે તો પૂર્ણતાની પર્યાય પ્રગટ થાય. સાધકપણાની પર્યાયોમાં પણ રોકાવા જેવું નથી. તે વચ્ચે આવે ખરી, પણ તેમાં રોકાવા જેવું નથી. જે અનાદિ-અનંત શાશ્વત પૂર્ણ છે તે ચૈતન્યનો લાભ કેમ પ્રગટ થાય? તે કરવા જેવું છે. તે લાભ પહેલાં અંશે પ્રગટ થાય અને પછી પૂર્ણ પ્રગટ થાય છે. ૪૮૪.
પ્રશ્ન:- ભગવાનના મંદિરે ટહેલ મારતાં મંદિરનાં બારણાં ખૂલે છે ને ભગવાનનાં દર્શન થાય છે તેમ આત્મામાં ટહેલ કેવી રીતે મારવી?
સમાધાનઃ- જેમ ભગવાનના મંદિરને દ્વારે ટહેલ મારતાં બારણાં ખૂલે અને દર્શન થાય તેમ ચૈતન્ય ભગવાનના દ્વારે ટહેલ મારવા જેવું છે. ટહેલ મારી, તેનો સ્વભાવ ગ્રહણ કરી, અંતરમાં ચૈતન્યની સ્વાનુભૂતિ કેમ પ્રગટ થાય તે કરવા જેવું છે. વારંવાર હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એમ તેની ધૂન લગાવવા જેવું છે. હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું, મને ચૈતન્યદેવનાં દર્શન કેમ થાય? ચૈતન્યદેવનાં દર્શન થાય અને મારું મંગળ મંદિર કેવી રીતે ખૂલી જાય! એમ વારંવાર ત્યાં ટહેલ મારે તો ચૈતન્યદેવનું મંગળ મંદિર એકવાર ખૂલી જશે અને તેમાં ચૈતન્ય ભગવાન બિરાજે છે તેનાં સ્વાનુભૂતિમાં દર્શન થશે. વારંવાર પ્રયત્ન કર તો અંત૨માં મંગળ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com