________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૩૪૩
પ્રશ્નઃ- ક્રમબદ્ધપર્યાય માનવાથી પુરુષાર્થ ઊડી જાય છે તે સાચું છે ?
સમાધાનઃ- જે ક્રમબદ્ધ છે તે પુરુષાર્થપૂર્વક છે. ક્રમબદ્ધ જે યથાર્થ માને તેમાં પુરુષાર્થ આવી જાય છે. ક્રમબદ્ધ સાચું માન્યું ત્યારે કહેવાય કે જેમાં પુરુષાર્થ સાથે હોય તો માન્યું છે. પુરુષાર્થપૂર્વકનું ક્રમબદ્ધ છે. આમ જ થવાનું છે તેવો નિર્ણય પુરુષાર્થનું બળ અને પરાક્રમ સૂચવે છે. પુરુષાર્થપૂર્વક ક્રમબદ્ધ ન માને તો તે ક્રમબદ્ધને માનતો જ નથી. ૬૧૭.
પ્રશ્ન:- પોતાની શુદ્ધ પર્યાય સાથે તપણું ઘટે કે અતપણું ઘટે છે ?
સમાધાનઃ- પોતાની શુદ્ધ પર્યાય સાથે તપણું પણ છે અને અતપણું પણ છે. શુદ્ધ પર્યાયરૂપે આત્મા પરિણમે છે તે તણું છે. અને પર્યાય જેટલો આત્મા નથી, અર્થાત્ આત્મા તો અખંડ છે જ્યારે પર્યાયનું સ્વરૂપ ક્ષણ પૂરતું છે; માટે પર્યાય સાથે અતપણું છે. આમ પોતાની પર્યાય છે માટે તત્ પણું અને પર્યાય ક્ષણ પૂરતી છે માટે અત૫ણું છે. ૬૧૮.
પ્રશ્ન:- સ્થૂલ ઉપયોગકો સૂક્ષ્મ કરકે ભીતર જાનૈકી વિધિ કયા ?
સમાધાનઃ- વિધિ તો અપનેકો કરનેકી હૈ. સ્થૂલ ઉપયોગકો સૂક્ષ્મ કરનેકે લિયે અંતરમેં જાના, સ્વભાવ કો પીછાનના. અપના માર્ગ અપને હાથમેં હૈ. બાહ્યદષ્ટિ કરનેસે ઉપયોગ સ્થૂલ હો જાતા હૈ ઔર ભીતરમેં દૃષ્ટિ કરનેસે-સ્વભાવકો ગ્રહણ કનેસે–ઉપયોગ સૂક્ષ્મ હોતા હૈ. સ્વભાવમેં ગહરા જાનૈસે ઉપયોગ સૂક્ષ્મ હોતા હૈ. પ્રજ્ઞાછીણીસે સ્વભાવકો ગ્રહણ કરે તો ઉપયોગ સૂક્ષ્મ હોતા હૈ ઔર વહુ બહાર જાતા હૈ તો સ્થૂલ હોતા હૈ. ૬૧૯.
પ્રશ્ન:- પરાશ્રિતજ્ઞાન સર્વથા હૈય છે તો પરની જાણકારી હૈય છે ને ?
સમાધાનઃ- પરાશ્રિતજ્ઞાન એટલે પરનો આશ્રય લેતું જ્ઞાન તે હેય છે. કારણ કે તેમાં ૫૨ તરફ જવાથી રાગ થાય છે, એકત્વબુદ્ધિ થાય છે માટે તે હેય છે. પણ કાંઈ જ્ઞાન હૈય નથી. ૫૨ની સાથે એકત્વબુદ્ધિ કરવી, રાગ કરવો, તે હૈય છે. વળી પરનો આશ્રય લેતાં જ્ઞાનોપયોગ ખંડ ખંડ થઈ જાય છે. (તેથી તેને હેય કહ્યો છે.) જ્ઞાનનો સ્વ-૫૨પ્રકાશક સ્વભાવ છે. વીતરાગદશા પ્રગટ થાય ત્યારે સ્વ ને ૫૨ને જાણવારૂપ સહજ જ્ઞાન હોય છે, ૫૨ને જાણવા જતો નથી. આ જાણવું-આ જાણવું તેમ ફાંફાં મારવાનાં નથી, એક આત્માને જાણે તેમાં બધું આવી જાય છે. ૬૨૦.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com