Book Title: Swanubhutidarshan
Author(s): Champaben
Publisher: Jagjivan Bavchand Doshi Parivar Songadh

View full book text
Previous | Next

Page 359
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [૩૪૭ પ્રશ્ન- આત્મા શરીરથી ભિન્ન છે તે તરત ખ્યાલમાં આવે છે, પણ જે _વિભાવભાવો થાય છે તેનાથી ભિન્નતાનો ખ્યાલ આવતો નથી ? સમાઘાન - તે મુશ્કેલ છે. શરીર જડ છે અને તે દેખાય છે તેથી તેનાથી ભેદજ્ઞાન કરવું સહેલું લાગે છે. ઉપયોગ સૂક્ષ્મ થાય ને અંદરથી પોતાને રસ-રુચિ લાગે તો વિભાવથી છૂટો પડે. વિભાવથી છૂટા પડવું તેને મુશ્કેલ પડે છે પરંતુ અંદરથી એટલી તૈયારી હોય તો છૂટો પડી શકે છે. ૬૩). પ્રશ્ન- આત્મા કેમ દેખાય? આત્મામાં લીન થવા પ્રયત્ન કરીએ છીએ, પણ અંધકાર જ દેખાય છે? સમાધાનઃ- જ્ઞાયક જ્યોતિને ઓળખે તો આત્મા દેખાય. જ્ઞાયકને ઓળખવો જોઈએ કે આ રહ્યો હું આત્મા....આ રહ્યો છું જ્ઞાયક, જેવી ચૈતન્યસ્વભાવ વસ્તુ છે તેવી પોતે શ્રદ્ધા કરે, ઓળખે તો તેને દેખે. “નિજ નયનની આળસ રે..નીરખ્યા ન નયણે હરિ.” પોતાના નયનની આળસ આંખ ખોલીને પોતે જોતો નથી તો ચૈતન્ય ભગવાન દેખાય કયાંથી? પોતે જોતો જ નથી, તો પછી અંધારું જ દેખાય ને! પોતાના જ્ઞાનરૂપ ચક્ષુને ખોલતો નથી એટલે દેખાતો નથી, અને જો ખોલે તો દેખાય. ૬૩૧. પ્રશ્ન- આત્માકો દેખને કે લિયે મન તો બહુત કરતા હૈ? સમાધાન - લેકિન ઇસકા ઉપાય નહીં કરતા હૈ. આત્માકો દેખનેકા ઉપાય કરના ચાહિયે કિ ભીતરમેં કૈસે જાવે? ઇસકા કયા ઉપાય હૈ? ઐસે ઉપાય કરના ચાહિયે. અનાદિકા દૂસરા અભ્યાસ હોનેસે બાહર હી બાહર રહતા હૈ, લેકિન ઉપાય કરે તો ભીતરમેં જાવે. દૂસરા કોઈ નહીં હૈ, આપ હી હૈ. અપના સ્વભાવ હૈ વહુ સહજ હૈ, સરલ હૈ, તો ભી અનાદિકાલસે દૂસરા અભ્યાસ હી રહા હૈ ઔર બાહર હી બાહરમેં ભટક રહા હૈ ઇસલિયે યહ દુર્લભ હો રહા હૈ. ભીતરમેં અપના સ્વભાવ હૈ વહ સરલ હૈ, લેકિન પુરુષાર્થ નહીં કરતા હૈ તો દિખતા નહીં હૈ. ૬૩ર. પ્રશ્ન- વિકલ્પ સહજ છે તે કઈ રીતે ? સમાધાનઃ- કોઈ અપેક્ષાએ વિકલ્પ સહજ છે. વિકલ્પ-વિભાવ જે થાય છે તેનો હું કર્તા નથી, હું જ્ઞાયક છું તે અપેક્ષાએ વિકલ્પ સહજ છે એમ કહ્યું છે. બાકી પોતાના પુરુષાર્થની મંદતાએ તે થાય છે અને પોતે સ્વરૂપ તરફ વળી જાય તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371