________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૩૫૭
અંદરમાં ગુણ પ્રગટાવવાના છે, અંતરમાં શુદ્ધિ કરવાની છે. દ્રવ્યને ઓળખીને અંદરથી જિજ્ઞાસા ને લગની લગાડીને આત્મા તરફ તારું વલણ કેટલું થાય છે તેની ઉપાદાનની તૈયારી કરવાની છે. શ્રીમદ્દજીના આ વાકયની અંદરમાં ગૂઢતા ભરી છે. ગુરુદેવના પ્રતાપે સ્પષ્ટતા થઈ છે. ગુરુદેવે સમયસાર આદિ શાસ્ત્રોના ને આત્માનાં-વસ્તુસ્વરૂપનાં રહસ્યો ખોલ્યાં છે. શ્રીમદ્દના કથનનાં રહસ્યો પણ ગુરુદેવે ખોલ્યાં છે. ગુરુદેવે સૂક્ષ્મ-સૂક્ષ્મ કરીને બધાં રહસ્યો ખોલ્યાં છે એટલે બધું ચોખ્ખું થઈ ગયું છે. ૬૫૨.
પ્રશ્ન:- “અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું” તે ભાવમાં દાસત્વપણું કહેવા માંગે છે?
સમાધાનઃ- “ અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?' મારામાં બધા દોષો એમ પોતાના દોષ જોનાર બીજા કોઈના દોષ જોતો નથી. જગતની અંદર હું અધમાધમ છું એમ પોતાના દોષ જોનાર આગળ જાય છે એમ કહેવું છે. અધમાધમ અધિકો પતિત પોતે થઈ ગયો નથી, પણ ભાવના એવી છે કે મારે બીજાના દોષો શા માટે જોવા ? હું દોષથી ભરેલો છું અને બીજા બધા દ્રવ્ય અપેક્ષાએ ગુણથી ભરેલા છે તેમ તે જોવે છે. દ્રવ્ય અપેક્ષાએ પોતાને જોવે છે કે મારા સ્વભાવમાં દોષ નથી, પણ પોતાને પુરુષાર્થ ઉપાડવો છે એટલે પોતાને એમ પણ જોવે છે કે મારામાં જ બધા દોષો છે. “ અધમાધમ અધિકો પતિત ”–એમ પર્યાય અપેક્ષાએ મારામાં જ દોષો છે અને મારે જ ગુણ પ્રગટ કરવાના છે, બીજાના દોષ જોવાના નથી. પોતાનો અલ્પ દોષ હોય તો તેને મોટો કરીને પોતે અંદર વિચાર કરે, અને બીજાના થોડા ગુણને પોતે મોટા કરીને વિચાર કરે. આગળ જનાર મુમુક્ષુની આવી રીત હોય છે. પોતાને આગળ વધવું છે તે બીજાના ગુણ તરફ જોવે. તથા પોતાને પુરુષાર્થ ઊપડવા માટે પોતાના દોષ જોવે કે મારે ઘણું કરવાનું છે. આમ કરીને આગળ જાય છે. તે જ્ઞાન બરાબર કરે છે કે દ્રવ્ય અપેક્ષાએ મારામાં શુદ્ધતા ભરી છે, પણ પર્યાયમાં હજી મારે અંતરમાં પુરુષાર્થ કરીને બધું પ્રગટ કરવાનું છે. આમ દાસત્વપણું કોઈક અપેક્ષાએ કહ્યું છે, બધી અપેક્ષાએ નહીં. પર્યાયની અપેક્ષાએ પોતાને આગળ વધવાનું છે અને ‘દીન ભયો પ્રભુ પદ જપે, મુક્તિ કહાં સે હોય’ તે દ્રવ્યદષ્ટિની અપેક્ષા છે.-બંનેની સંધિ છે. ૬૫૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com