________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
| [ ૨૯૭ છે તે પોતાની મંદતાને કારણે છે. સચિની એવી ઉગ્રતા કરીને જે પુરુષાર્થ પોતા તરફ વાળવો જોઈએ તે વાળતો નથી. જે પુરુષાર્થ બહારમાં કામ કરે છે તેને પોતે પલટો ખવરાવતો નથી.
વિકલ્પમાં જે પુરુષાર્થ જાય છે તે પુરુષાર્થને પલટો ખવરાવીને, નિર્વિકલ્પતામાં પર્યાયને પોતે પલટાવતો નથી માટે તે આનંદ આવતો નથી. તે આનંદ અંદર ચૈતન્યમાં જાય તો જ તેમાંથી પ્રગટ થાય છે. વિકલ્પમાં ઊભાં ઊભાં તે આનંદ આવતો નથી.
સાધકને સવિકલ્પદશામાં ભેદજ્ઞાનની ધારા હોય તેથી અંશે શાંતિ હોય છે. પણ નિર્વિકલ્પતાનો આનંદ નિર્વિકલ્પદશામાં જ હોય છે. સમ્યગ્દષ્ટિને ભેદજ્ઞાનની ધારા સહજ હોય છે. તેમાં અંશે શાંતિ-સમાધિ અને જ્ઞાયકની ધારા હોય છે, પણ અપૂર્વ આનંદ તો નિર્વિકલ્પદશામાં જ હોય છે.
જિજ્ઞાસુને ભેદજ્ઞાનની સહજધારા નથી, હજી અભ્યાસ કરે છે, એકત્વબુદ્ધિ છે. તે એકત્વને તોડ અને ભેદજ્ઞાનનો પ્રયાસ કરે તો થાય, પણ એકત્વ તોડવાનો પુરુષાર્થ કરતો નથી. જેટલી વિભાવ સાથે તેને ક્ષણે ક્ષણે એકત્વબુદ્ધિ થઈ રહી છે, તેમાં જેટલો પ્રયત્ન છે તેવી જાતની ઉગ્રતા, પુરુષાર્થ-જ્ઞાયકધારા ક્ષણે ક્ષણે પ્રગટ થાય તેવો પુરુષાર્થ-નથી. વિકલ્પ સાથેની એકત્વબુદ્ધિ તીવ્ર છે, અને તે દિવસ ને રાત સદાય છે. જ્યારે જ્ઞાયકનો અભ્યાસ કોઈવાર કરે તો તેને જ્ઞાયકની પરિણતિ કયાંથી થાય? જ્ઞાયકની પરિણતિ પહેલાં સહજ થવી જોઈએ, તો વિકલ્પ તૂટીને આનંદ થાય.
હું જ્ઞાયક છું એવો કોઈવાર અભ્યાસ કરે તે થોડીવાર કરે, પણ વિભાવનો અભ્યાસ તેને ચોવીસ કલાક ટકેલો છે. આત્માને પ્રાપ્ત કરવાનો તીવ્ર પુરુષાર્થ નથી કરતો એટલે નિર્વિકલ્પદશા થઈને જે આનંદ આવવો જોઈએ તે આવતો નથી. જીવનમાં વિકલ્પ સાથેનું એકત્વ વણાઈ ગયું છે અને ભેદજ્ઞાનનો અભ્યાસ માંડ માંડ કરે છે, એટલે આનંદ આવતો નથી.
ભાવના રહે, ચિ રહે, મહિમા રહે પણ પુરુષાર્થની ધારા તે તરફ જાતી નથી એટલે થાતું નથી. પ૧૫. પ્રશ્ન- સ્વભાવ છે તે ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ છે. તેમાં કરવાપણું નથી, તો અમારી મતિ કયાં મૂંઝાઈ છે? તે સમજવા આવ્યો છું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com