________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬]
[ સ્વાનુભૂતિદર્શન લાગે તો આત્મદેવ અંદરથી પ્રગટ થાય છે, નહિ તો પ્રગટ થતો નથી.
(યથાર્થ નિર્ણયવાળો) આ બધું બહારનું છૂટી જાય તો અંદર શું હશે? એવી શંકા કરતો નથી. તેને હજી અંદર કાંઈ દેખાતું નથી, પણ શ્રદ્ધા બરાબર કરે છે. આત્મામાં અનંત-અનંત ગુણો છે અને તે ગુણો દેખાતા નથી. તો અંદર શું હશે? એવી શંકા તે કરતો નથી. ચૈતન્યદેવ જે પરિપૂર્ણ છે તે ચૈતન્યદેવનું જ ઘર મારે જોઈએ છે. બહારનું ગમે તેવું હો તેની મને અપેક્ષા નથી. મારું સ્વઘર જ મારે જોઈએ છે. બીજાનું મારે કાંઈ જોઈતું નથી, બીજાનું ભલે ગમે તેવું હોય તે તેના ઘરે રહ્યું, મારે મારું જોઈએ છે. એવી અંદર તૃપ્તિ થઈને, અંદરથી એવો નિર્ણય કરીને-રુચિ કરીને –વિશ્વાસ કરીને આગળ જાય છે. એક વખત એમ શ્રદ્ધા કરે કે આ ચૈતન્ય અનુપમ છે, પછી કોઈ શંકામાં રોકાતો નથી. રાજાનું ઘર મારે શું કામનું છે? મારે મારું પોતાનું ઘર જોઈએ છે. તેમ જડની શક્તિ જડમાં રહી, તે મારે કાંઈ જોઈતી નથી. મારી ચૈતન્યશક્તિ જ મારે જોઈએ છે. આ વિભાવ તો દુઃખનું ઘર છે અને પરદ્રવ્ય છે તેને લેવા જાઉં તો તે મારા થતાં નથી, પણ દુઃખનાં કારણ બને છે.-આ રીતે અંદરથી પૂરેપૂરી રુચિ આવે તો જ એકત્વબુદ્ધિ છૂટે છે, નહિ તો છૂટતી નથી.
(યથાર્થ નિર્ણયવાળો) પછી ચલિત કયાંથી થાય? કેમકે તે એવી શ્રદ્ધા કરીને આગળ ગયો છે કે પછી ચલિત થતો નથી. આવી દઢ શ્રદ્ધાથી આગળ ગયેલો આત્મા કદી ચલિત થતો નથી કારણ કે જડમાં કાંઈ વિશેષતાઓ છે જ નહિ. તેને અંદરનું ભલે દેખાતું નથી, તો પણ વિશ્વાસ કરીને અંદર જાય છે.
અંદરમાં દેખાતું નથી, અનુભવ નથી તો પણ પોતે અમુક ન્યાયોથી શ્રદ્ધા કરતો, ગુરુના વચન ઉપર શ્રદ્ધા રાખતો આગળ જાય તો બહારની બધી રુચિ છૂટી જાય છે. મને મારું જે સ્વ છે તે જ જોઈએ છે, બીજું કાંઈ મારે જોઈતું નથી—એમ (વિકલ્પમાં) શ્રદ્ધા કરતો આગળ જાય છે. તેને હજી દેખાતું નથી, તો પણ શ્રદ્ધા કરીને આગળ જાય છે અને એવી દઢ શ્રદ્ધાથી આગળ ગયેલી પરિણતિ પાછી વળતી નથી. તેને અંદરમાંથી રાગની રૂચિ છૂટી જાય છે.
તેને ગુરુનાં વચનો ઉપર વિશ્વાસ છે. અને પોતે અંદર અમુક પોતાના સ્વભાવથી નક્કી કરે છે. આ રીતે દઢ યુક્તિના આલંબનથી નક્કી કરીને આગળ જાય છે. આવે છે ને? કે આગમ, યુક્તિ ને સ્વાનુભૂતિ દ્વારા નિર્ણય કરવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com