________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૩૧૯ પ્રશ્ન- મુમુક્ષુ પાસે કઈ દોરી છે ? સમાધાનઃ- ક્ષણે ક્ષણે રુચિના પુરુષાર્થની દોરી મુમુક્ષુના હાથમાં હોય છે. મુમુક્ષુએ રુચિની દોરી હાથમાં રાખવી. રુચિ મંદ થઈ ન જાય તે જોવું, તેમ જ મુમુક્ષુને ન શોભે તેવાં બીજાં કાર્યોમાં જવું નહિ. આત્માર્થીનું પ્રયોજન એ છે કે મને આત્મા કેમ મળે? દરેક કાર્યમાં મને આત્મા કેમ મળે તે પ્રયોજન સાથે રાખવું. વચ્ચે બીજું માનાદિ લૌકિક કાર્યનું પ્રયોજન ન આવી જાય તેવી અંદર આત્માની રુચિ તેને હોય. જ્ઞાનીની તો જુદી જ વાત છે, તે તો દોરી અંદર ખેંચતો જ હોય છે. મુમુક્ષુને પણ આત્માની રુચિ-આત્માના પ્રયોજન સિવાય બીજું કાંઈ પ્રયોજન ન હોય. પોતાથી પુરુષાર્થ કરી શકાતો નથી, પણ પ્રયોજન આત્માનું છે. ૫૫૯. પ્રશ્ન- શુભાશુભભાવ રુચે નહિ તેને માર્ગ મળે કે નહીં? સમાધાન- શુભાશુભભાવમાં રૂચે નહિ અને અંદર રસ્તો મળે નહિ એમ બને નહિ. અંતરમાં જેને ખરી લગની લાગી હોય તેને માર્ગ મળ્યા વગર રહેતો જ નથી. તેને જ્ઞાયક ગ્રહણ થયા વગર રહેતો જ નથી. અંતરમાં જો શુભાશુભભાવમાં ખરેખર આકુળતા લાગી હોય, અને કયાંય ચેન ન પડતું હોય તો તે આત્માને ગ્રહણ કર્યા વગર રહે નહિ. તે માર્ગ શોધી જ લે છે. ગુરુદેવે માર્ગ ચોખ્ખો બતાવ્યો અને પોતાને ગ્રહણ ન થાય તો પોતાના પુરુષાર્થની ખામી છે. માર્ગ ચોખ્ખો સ્પષ્ટ કરીને બતાવ્યો છે. જો સાચું દુઃખ લાગ્યું હોય તો ગ્રહણ કર્યા વગર રહેતો નથી. સાચી ભૂખ લાગી જ નથી, માટે ગ્રહણ કરતો નથી. પ૬૦. પ્રશ્ન- મુમુક્ષુની ભૂમિકામાં શુભભાવ કેવો હોય છે? સમાઘાન- મુમુક્ષુને એકત્વબુદ્ધિ છે, જુદો પડયો નથી. તે માને કે આ શુભાશુભભાવો તે મારું સ્વરૂપ નથી. આત્મા જુદો છે, નિર્વિકલ્પસ્વરૂપે છે, જ્ઞાયક જાણનારો છે, પણ તેની પરિણતિ પ્રગટ થઈ નથી એટલે શુભભાવમાં તે ઊભો છે. તેણે વિચાર કરીને જે નિર્ણય કર્યો છે કે આ ભાવો તે મારું સ્વરૂપ નથી, તે નિર્ણય સાથે રાખીને આનાથી મને ધર્મ થાય છે, આ સર્વસ્વ છે, તેમ મુમુક્ષુ માને નહિ. તેને આત્મા ન્યારો રહેતો નથી, એકત્વબુદ્ધિ થઈ જાય છે, છતાં માન્યતા એમ રાખે કે આ સર્વસ્વ નથી, હેય છે, મારો સ્વભાવ નથી. તે એમ વિચારમાં રાખી શકે છે, પણ આત્મા પ્રહણ થયો નથી તો ઊભો કયાં રહે! એટલે શુભભાવમાં ઊભો છે. આત્માનું જ કરવા જેવું છે, આ મારો સ્વભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com