________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮]
[ સ્વાનુભૂતિદર્શન પણ એમાં બધું આવી જાય છે. આત્માને જાણે, શ્રદ્ધા કરે અને એમાં લીનતા કરે એમાં બધું આવી જાય છે-બધું સમાઈ જાય છે. આત્મામાં લીનતા કરતાં કરતાં જે પૂર્ણ જ્ઞાનસ્વભાવ છે તે પ્રગટ થાય છે. વીતરાગ દશા, કેવળજ્ઞાન વગેરે બધું આત્મામાંથી પ્રગટ થાય છે.
બહારનું બધું જાણું, પણ એક આત્માને ન જાણ્યો તો તે સફળ નીવડતું નથી. અને એક આત્માને જાણે તો તે બધું સફળ નીવડે છે. આત્માને જાણવો, તેની શ્રદ્ધા કરવી ને તેમાં લીનતા કરવી. પણ એ થાય કયારે? કે આત્માનો રસ લાગે ને બહારનો રસ છૂટી જાય ત્યારે એ થાય. આત્માની મહિમા-રસ-તમન્ના લાગે, એના વિના ચેન ન પડે ને વારંવાર એના વિચારો આવે તો થાય. ૪૯૬. પ્રશ્ન- ભાવભાસન એટલે શું? સમાધાન - શાયક એવો જે ભાવ છે એનું ભાન થવું જોઈએ કે આ જ જ્ઞાયક છે, બીજો નહીં. જે વિકલ્પો બધા આવે છે તે હું નહિ, પણ આ જે જ્ઞાયક છે તે જ હું છું, એવી જાતનો અંદરથી ચૈતન્યના સ્વભાવનો ભાસ આવવો જોઈએ. માત્ર આ બહારનું જાણપણું તે હું નહિ, પરંતુ જે સ્વયં જ્ઞાયક છે તે હું એમ તેનો ભાસ આવવો જોઈએ. આ જ્ઞાયક પોતે પોતાથી છે, જ્ઞાયક વસ્તુ સ્વયંસિદ્ધ છે,એમ જ્ઞાયકનો ભાવ એને ભાનમાં આવવો જોઈએ. ૪૯૭. પ્રશ્ન- ભાવભાસન થાય એટલે પુરુષાર્થ કરવો સહેલો પડે ? સમાધાન - પોતે પોતાને ઓળખે એટલે પુરુષાર્થ કરવો સહેલો પડે છે. પોતાને ઓળખે તો આગળ જાય ને? પોતાને ઓળખ્યા વિના આગળ કયાંથી જાય? જો માર્ગને જાણે, સ્વભાવને ઓળખે તો તેનો પુરુષાર્થ તે તરફ જાય છે.
આ બાજુ (જ્ઞાયક તરફ ) જવું છે એવો ખ્યાલ આવે તો એ બાજુ જવાનો પ્રયત્ન કરે. તે હજુ રુચિ કરીને ઊભો છે એ ઠીક છે; પણ અભ્યાસ કરે કે જ્ઞાયક જ્ઞાયકરૂપે કેમ થાય, એ જાતની અંદરથી લગની લાગવી જોઈએ ને વેદન આવવું જોઈએ, તો એ જાતનો પ્રયત્ન એને થયા વિના રહેતો નથી.
કોઈ ગોખવારૂપે કે લૂખારૂપે કરી નાખે કે હું જાણનાર છું, કરનાર નથી, તો એની વાત નથી. પણ અંતરમાંથી જેને લાગી છે, જ્ઞાયકનો ભાવ ગ્રહણ કરીને જે ઊભો છે ને જે પુરુષાર્થ કરે છે તેને એમાં કોઈવાર વિકલ્પરૂપે ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com