________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૭૨ ]
[ સ્વાનુભૂતિદર્શન
જ અંદર પોતાની પરિણિતમાં ગૂંથાઈ જવો જોઈએ. જેમ શરીર અને વિકલ્પ સાથે એકમેકપણું થઈ ગયું છે તેમ વર્તમાનમાં આત્મા એકમેક ઘૂંટાઈ જવો જોઈએ, ત્યારે પ્રાપ્ત થાય. ૮૬.
પ્રશ્ન:- ધારણાજ્ઞાન ધર્મનું સાધન છે?
સમાધાનઃ- આ જીવ છે, આ અજીવ છે એવું ધારણાજ્ઞાન તથા મંદ કષાય કરીએ તો ધર્મ થાય, તે ધર્મનું સાધન છે એવી માન્યતાથી તો તેને નુકસાન છે. ધારણાજ્ઞાન એટલે ગોખેલું જ્ઞાન ન સમજવું.
ધારણાજ્ઞાન એટલે ગોખેલું જ્ઞાન નહિ, પણ પોતે પહેલાં હું ચૈતન્ય છું, આ સ્વભાવ જુદો ને આ વિભાવ જુદો એમ પોતાની બુદ્ધિથી નક્કી કરેલું છે તેને ધારણાજ્ઞાન કહે છે. શાસ્ત્રો ઘણા ગોખી જવા-એવા પ્રકારનું જ્ઞાન થવું-તે સાચું ધારણાજ્ઞાન નથી અને તે ગોખેલું ( શાસ્ત્રજ્ઞાન) કામ નથી આવતું. વાસ્તવિક સાધન તો જે સ્વભાવ છે તે સાધન થાય છે ને ત્યારે ધા૨ણાજ્ઞાનને વ્યવહારથી સાધન કહેવાય છે.
મૂળ સાધન તો દ્રવ્યસ્વભાવ છે. પુરુષાર્થ અંતરમાંથી ઊપડે તો તે વાસ્તવિક સાધન થાય છે. પોતાની પરિણતિ જેમાંથી ઊછળે છે તે દ્રવ્યસ્વભાવ મૂળ સાધન છે. જે સ્વાનુભૂતિ કરે તેની દ્રવ્ય ઉ૫૨ દષ્ટિ હોય છે અને તેને આવા ભેદવિકલ્પ વચ્ચે આવે છે, પણ તેમાં તે રોકાતો નથી. રુચિવાળા જીવને ઘણા પ્રકારના વિકલ્પો આવે પણ તેમાં રોકાય નહિ; વાસ્તવિક સાધન તો દ્રવ્યદૃષ્ટિ જે અંતરમાંથી પ્રગટે તે જ છે, પણ રુચિની સાથે હું ચૈતન્ય છું, જ્ઞાન છું એવી જાતનો અભ્યાસ આવ્યા વગર રહેતો નથી. જેમ ગુરુનો ઉપદેશ વચ્ચે હોય છે, તેમ અમુક જાતના શુભ વિકલ્પો વચ્ચે આવે છે. હું જ્ઞાન છું-દર્શન છું, એવા ભેદવિકલ્પો વચ્ચે આવે છે, પણ તેની દૃષ્ટિમાં તો અનંતગુણનો પિંડ એક ચૈતન્ય જ છે. વિકલ્પ સાધનારૂપ થતો નથી કેમકે વિકલ્પ તોડવામાં વિકલ્પ સાધન ન થાય. નિર્વિકલ્પ દશા પ્રગટે ત્યારે વિકલ્પ હોતા નથી.
નિર્વિકલ્પ દશાનું સાધન જ્ઞાયક છે કે જેનાથી પોતાની પરિણતિ નિર્વિકલ્પરૂપ થાય છે, પણ વચ્ચે વિકલ્પ આવ્યા વગર રહેતા નથી. તેના જ્ઞાનમાં એમ હોવું જોઈએ કે આ વિકલ્પ વાસ્તવિક સાધન નથી, પણ વ્યવહાર છે. વિકલ્પમાં સર્વસ્વતા માની ન લેવી જોઈએ કે આમ કરતાં કરતાં થશે, પણ તેની દૃષ્ટિ તેના
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com