________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[ ૧૭૫ પર્યાય કથંચિત અભિન્ન છે. જે જેમ હોય તેમ જાણવાનું હોય છે. ૩૦૭. પ્રશ્ન- ચોથા ગુણસ્થાનવાળો નિર્વિકલ્પદશામાં હોય અને પાંચમા ગુણસ્થાનવાળો સવિકલ્પદશામાં હોય તો આનંદનું વદન વિશેષ કોને હોય ? સમાધાન:- નિર્વિકલ્પ દશામાં આનંદનું વેદન જુદું જ હોય છે, તેનો સવિકલ્પ સાથે મેળ કરાય જ નહિ. સરખામણી સવિકલ્પની સવિકલ્પ સાથે કરાય. નિર્વિકલ્પ સવિકલ્પની સરખામણી કરાય જ નહિ. ચોથા ગુણસ્થાનની સવિકલ્પદશા કરતાં પાંચમાં ગુણસ્થાનની સવિકલ્પદશામાં શુદ્ધિ-નિર્મળતા-શાંતિસમાધિ વધારે છે. સવિકલ્પ સાથે સવિકલ્પની અને નિર્વિકલ્પ સાથે નિર્વિકલ્પની સરખામણી કરાય. જો નિર્વિકલ્પ સવિકલ્પ જેવું થઈ ગયું તો નિર્વિકલ્પ કાંઈ જુદું રહ્યું જ નહિ. નિર્વિકલ્પ સ્વાનુભૂતિનો કોઈ જુદો પ્રકાર જ ન રહ્યો. કે પાંચમા ગુણસ્થાનનું સવિકલ્પ અને ચોથા ગુણસ્થાનનું નિર્વિકલ્પ બંને સરખાં છે એમ ન હોય! નિર્વિકલ્પદશા કાંઈ જુદી રહી જ નહિ. જ્ઞાનીને સવિકલ્પમાં રાગની આકુળતાનું વેદના અને શાંતિ સાથે વેદાઈ રહ્યાં છે. અને નિર્વિકલ્પદશામાં એકલો આનંદ વેદાઈ રહ્યો છે. એ રીતે તેમાં ફેર પડે છે. એકલો પોતાનો આનંદ વેદાઈ રહ્યો છે, જેમાં આકુળતા એકદમ અબુદ્ધિપૂર્વક છે તેનો પોતાને ખ્યાલ પણ નથી આવતો. એકલી નિરાકુળતા, એકલો આનંદ વેદાય છે. ઉપરની ભૂમિકાવાળાને સવિકલ્પમાં ભલે શાંતિ વધારે હોય પણ આકુળતા અને નિરાકુળતા બંને મિશ્રિત છે. તે મિશ્રિત વેદના અને એકલું નિર્વિકલ્પ વેદન તેમાં ફેર છે.
મુમુક્ષુ- બંને જાત જ જુદી થઈ જાય છે.
બહેનશ્રી - સવિકલ્પદશા રાગમિશ્રિત છે. નિર્વિકલ્પદશામાં એકલો આનંદ છે, એમ ફેર છે. વિભાવ-સ્વભાવ વચ્ચે જેવો ભેદ છે એવો ભેદ નહિ. જ્ઞાની સવિકલ્પદશામાંથી નિર્વિકલ્પદશામાં તો કયાંનો ક્યાં ચાલ્યો ગયો ! જુદા દેશમાં ચાલ્યો ગયો. આત્મામાં ડૂબી ગયો, સ્વાનુભૂતિમાં અંદર લીન થઈ ગયો. એ દશા! અને સવિકલ્પદશા જે આકુળતા સાથે રહેલી છે, તેમાં ફેર છે. તેની સાથે તેની મીંઢવણી કરાય જ નહિ. ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિની ભૂમિકા નીચી છે અને દશા વધી ગઈ છે એવું પણ નથી. છતાં તેના વેદનમાં તે ક્ષણે જ ફેર છે.
મુમુક્ષુ- સવિકલ્પદશામાંથી પરિણતિમાં સાથે આકુળતા રહેલી છે? બહેનશ્રી:- આકુળતાની સાથે પરિણતિમાં શાંતિ પણ છે. ઉપયોગ બહાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com