________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[ ૧૮૧
પ્રશ્ન:- દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા શું આત્માની મહિમા માટે છે?
સમાધાનઃ- જિનેન્દ્રદેવે આત્મા પ્રગટ કર્યો છે ને કેવળજ્ઞાનમાં પૂર્ણરૂપે બિરાજી રહ્યા છે, ગુરુ સાધના કરે છે અને શાસ્ત્રમાં પણ તે આવે છે. તેમણે ચૈતન્યનું સ્વરૂપ પ્રગટ કર્યું તે સ્વરૂપની પોતાને રુચિ છે, માટે તેમની મહિમા આવે છે. તે રુચિ એવી જાતની હોવી જોઈએ કે તે સ્વરૂપ મને પ્રગટ થાવ. માત્ર રૂઢિગત મહિમા આવે તેમ નહિ, તેમણે પ્રગટ કરી તે આદરવા યોગ્ય અનુપમ વસ્તુ મારે જોઈએ છે એવી રુચિ હોવી જોઈએ, માટે આત્માની રુચિ અને દેવ-શાસ્ત્રગુરુની મહિમા બંને સાથે સંકળાયેલા હોય છે. જેને સમજણપૂર્વક મહિમા આવે તેને આત્માની રુચિ સાથે હોય જ છે. કોઈ ઓથે ઓથે કરતો હોય તેમ નહિ, સમજણપૂર્વક મહિમા આવે તેમાં રુચિ ભેગી જ હોય કે આ સ્વરૂપ મારે જોઈએ છે. વિભાવ સારો નથી, પણ સ્વભાવ સારો છે. દેવ-શાસ્ત્ર-ગુરુએ જે પ્રગટ કર્યું તેની મહિમા આવે છે અને તે મારે જોઈએ છે એવી રુચિ ભેગી હોય જ છે.
દેવ-શાસ્ત્ર-ગુરુ આદરવાયોગ્ય કેમ છે? કે તેમણે આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે તે કોઈ અપૂર્વ છે, માટે તેમનો પોતાને આદર છે. તેમાં પોતાના આત્માનો આદર અંતરમાં આવી જાય છે. ૩૨૨.
પ્રશ્નઃ- કોઈ બીજું વિકલ્પ કરતું હોય એટલું બધું જુદું જ્ઞાનીને વિકલ્પથી જુદાપણું લાગતું હોય?
સમાધાનઃ- બીજું કોઈ વિકલ્પ કરે છે એટલું જુદું નહિ, પણ વિકલ્પથી મારો સ્વભાવ જુદો છે. પુરુષાર્થની મંદતાએ તે મારામાં થાય છે પણ તે મારો સ્વભાવ નથી. તેનાથી જુદું ભેદજ્ઞાન-જ્ઞાતાની પરિણતિ વર્તે છે. તે સ્વભાવથી એકત્વ છે ને વિભાવથી વિભક્ત છે. જે વિભાવથી વિભક્ત થયો તે શરીરથી વિભક્ત થઈ જ ગયો છે. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ છે તેમાં જે ભાવકર્મથી ન્યારો વર્તે છે તે દ્રવ્યકર્મ અને નોકર્મથી જુદો જ વર્તે છે. કોઈ સ્થૂલતાથી શ૨ી૨થી જુદો-જુદો એમ કરે અને અંદરથી જુદો નથી પડયો તો તે વાસ્તવિક જુદો જ નથી થયો. કોઈ સ્થૂલતાથી કહે કે હું શરીરથી જુદો, પણ જો વિકલ્પથી ન્યારો નથી પરિણમતો તો શરીરથી જુદો કહે છે તે માત્ર અભ્યાસરૂપ છે. ૩૨૩.
પ્રશ્નઃ- સમક્તિ પ્રાપ્ત નહિ થવામાં શ્રદ્ધાનો જ દોષ છે?
સમાધાનઃ- સમ્યગ્દર્શન પ્રાપ્ત નહિ થવામાં શ્રદ્ધાનો જ દોષ છે. ચારિત્રનો દોષ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com