________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન
૨૩૮ ]
સમ્યગ્દર્શન ટકી શકતું નથી. તે જાતની અંદર પાત્રતા હોય, અંદર વિભાવનો ૨સ છૂટી જાય, જ્ઞાયકનો રસ અંદરથી પ્રગટ થાય, જ્ઞાયકની એવી મહિમા લાગે તો જ તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન જ્યાં પ્રગટ થયું તેની જ્ઞાતાધારાને ઉદય શું કરી શકે? ૪૩૩.
પ્રશ્ન:- ઉદય પાતળા હોય ત્યારે તો લીનતા વિશેષ કરે ને ?
સમાધાનઃ- ઉદય પાતળા હોય ત્યારે લીનતા કરે તેમ નહિ, લીનતા વિશેષ હોય તો ઉદયો પાતળા જ હોય. તેની પુરુષાર્થની ધારા એવી હોય કે તેના ઉદય પાતળા જ હોય. કર્મનો ઉદય મંદ હોય ત્યારે કરી શકે એમ નહિ, પોતાનો પુરુષાર્થ જોરદાર છે માટે ઉદય તેને કાંઈ અસર કરતો જ નથી. જેટલો ગૃહસ્થાશ્રમમાં ઊભો છે તેટલો પોતાના પુરુષાર્થની મંદતાએ ઊભો છે. તે સમજે છે કે આ ક્ષણે છૂટાતું હોય તો મારે સર્વસ્વ રીતે આદરણીય મારો જ્ઞાયક જ છે. સંસારનો કોઈ ભાવ તેને આદરણીય છે જ નિહ. એટલું શ્રદ્ધાનું બળ છે. અંતરશ્રદ્ધામાંથી બધું છૂટી ગયું છે. જો તે શ્રદ્ધાનું બળ તૂટે તો એકત્વબુદ્ધિ થઈ જાય. પણ શ્રદ્ધાનું બળ તૂટતું જ નથી. એટલી જ્ઞાયકની પરિણતિ જોરદાર છે. ૪૩૪.
પ્રશ્ન:- જ્ઞાની ઉદયથી નિરપેક્ષ પોતાની જ ધારામાં રહે છે?
સમાધાનઃ- જ્ઞાનીને અમુક જાતના ઉદય આવે છે પણ તેનાથી જુદો પોતે જ્ઞાયકપણે જ રહે છે. ઉદય એવો અસર નથી કરતો કે જ્ઞાયકની પરિણતિ તોડી શકે. ઉદય મર્યાદામાં હોય છે. ૪૩૫.
પ્રશ્નઃ- અમે તો શુભ પરિણામથી આગળ જઈ શકતા જ નથી, તો શું કરવું ?
સમાધાનઃ- વિકલ્પ વચ્ચે આવે એટલે કે શુભભાવ આવે, પણ શુભની પાછળ તેની ગતિ જ્ઞાયક તરફ રહેવી જોઈએ. વિકલ્પમાં ઊભો છે, એટલે વચ્ચે વિકલ્પ આવ્યા કરે છે; પરંતુ તેની પાછળ શુદ્ધાત્માનું ધ્યેય હોય કે તે કેમ પ્રગટ થાય? તેવી પરિણિત અંદરમાં પ્રગટ કરવા માટે પ્રયત્ન કરે તો થાય, વારંવાર તેની પાછળ પડે તો થાય. ન થાય ત્યાં સુધી તે જાતનો પ્રયત્ન કર્યા કરવો. હું જ્ઞાન છું, દર્શન છું એવા શુભ વિકલ્પની પાછળ આત્માનો જ્ઞાનસ્વભાવ છે તેને ગ્રહણ ક૨વો. ગુણભેદ ઉ૫૨ નહિ, એક અખંડ દ્રવ્ય ઉપર દષ્ટિ કરવાની છે. પરંતુ અનાદિનો બહા૨નો અભ્યાસ થઈ ગયો છે એટલે થતું નથી. મંદ મંદ પુરુષાર્થ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com