________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૨૪૩ વિકલ્પમાં ને વિકલ્પમાં ચાલ્યો જાય છે, પણ જો તેની રુચિ યથાર્થ હોય તો ભેદજ્ઞાન થાય. આત્માનું જ્ઞાન યથાર્થ કરવું જોઈએ. અનાદિ-અનંત હું કોણ છું? મારો સ્વભાવ શું છે? તેમાં જે અનેક જાતની અવસ્થાઓ થાય છે તે શું છે? આ બધું પોતાને યથાર્થ સમજવું જોઈએ, તેની રુચિ યથાર્થ થવી જોઈએ. અંતરમાંથી એવી લગની લાગે તો ભેદજ્ઞાન થાય, રાત ને દિવસ આત્મા વિના ચેન ન પડે, મારો આત્મા મને કેમ પ્રગટ થાય? મને સ્વાનુભૂતિ-આત્માનો સાક્ષાત્કાર કેમ થાય ? એવી લગની અંતરથી લાગે તો ભેદજ્ઞાન થાય. તેની લગની લાગવી
જોઈએ, પછી તો સ્વભાવમાંથી જ સ્વભાવ પ્રગટે છે. આ જે વિકલ્પ છે તે તો બધા વિભાવ છે. વિભાવમાંથી સ્વભાવ નથી આવતો, સ્વભાવમાંથી સ્વભાવ આવે છે. જેમ લોઢામાંથી લોઢું જ આવે, સોનામાંથી સોનું જ થાય, એમ સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે, વિભાવમાંથી વિભાવ જ પ્રગટે. માટે પોતાનો સ્વભાવ ગ્રહણ કરવો અને તે માટે રુચિ પ્રગટ કરવી જોઈએ. પહેલાં તેની રુચિ કરે, તેનું ભેદજ્ઞાન ક્ષણે ક્ષણે કરે કે આ વિભાવ હું નથી, મારું ચેતન સ્વરૂપ જુદું છે. એમ વારંવાર અભ્યાસ કરે તો એમાં એકાગ્રતા થાય; નહિતર સમજ્યા વગરનું ધ્યાન યથાર્થ જામતું જ નથી. ૪૪૫.
પ્રશ્ન:- આત્મસાક્ષાત્કાર શું છે તેની વાતો તો સાંભળેલી છે, પરંતુ કાંઈ પણ ઝાંખી (અનુભૂતિ ) ન હોય તો કઈ રીતે મન એમાં પ્રવૃત્ત થાય ? બહારમાં તો અશાંતિ લાગે છે.
સમાધાનઃ- એટલું તો પોતાને લાગે છે ને ? કે બહારમાં કાંઈ સારભૂત નથી, સુખ દેખાતું નથી. આ બધું ગમે તેટલું કરીએ તો પણ સંતોષ આવતો નથી, તૃપ્તિ થતી નથી. અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે એમ જીવ ફાંફા માર્યા કરે છે પણ સંતોષ નથી આવતો તે એમ બતાવે છે કે સુખસ્વરૂપ વસ્તુ કોઈ જુદી અંતરમાં છે. બહારમાં સંતોષ નથી આવતો અને જે સુખનું ધામ છે તે પ્રગટ થાય પછી બીજી ઇચ્છા જ નથી થતી. એવી કોઈ વસ્તુ અંતરમાં રહેલી છે. એ પ્રગટ થાય કયારે? કે જીવ પોતે પુરુષાર્થ કરે ત્યારે. પહેલાંથી કોઈને ઝાંખી થતી નથી, પણ જે મહાપુરુષોએ પ્રગટ કર્યું છે તે તેને બતાવે છે કે તું આ કર, અમે તેનો અનુભવ કરીને તને કહીએ છીએ. અને પછી તેનો વિશ્વાસ કરે તો તેની સ્વાનુભૂતિ થાય છે. સાક્ષાત્કાર થાય છે. આત્મા સુખનું ધામ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com