________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૯૦ ]
[ સ્વાનુભૂતિદર્શન અંતરની પિરણિત વધે તે ખરી વૃદ્ધિ છે. બહારની વૃદ્ધિ તે વૃદ્ધિ નથી. અંતરની પરિણતિની વૃદ્ધિ થાય તે ખરી વૃદ્ધિ છે.
ઇન્દ્રિયજ્ઞાન વધે તેનું કાંઈ મહત્ત્વ નથી. તેનું મહત્ત્વ ગણવું પણ નહિ. તે પરીક્ષાનો સ૨વાળો પણ નથી. અંતરની પરિણતિ શું કામ કરે છે તે જોવાનું છે. અંતર શ્રદ્ધા-જ્ઞાન-લીનતા તે બધી પિરણિત શું કામ કરે છે તે જોવાનું છે.
મુમુક્ષુઃ- લોકોને બહારનું વિસ્મય થાય છે ને ધર્માત્માને અંતરનું વિસ્મય થાય છે.
બહેનશ્રી:- અંતર-પરિણતિ જ ખરી છે. મુક્તિનો માર્ગ બધો અંતરમાં છે. અનાદિકાળથી બહાર જોવાની દૃષ્ટિ છે એટલે બહાર જોવે છે, પણ બહારનું વિસ્મય લાગે તેનાથી ખરી પરીક્ષા થતી નથી. ભગવાન સમવસરણમાં બિરાજમાન હોય તેમને જોઈને કહે કે આપની શોભા અદ્દભુત છે. આમ ભક્તિમાં બધું આવે. પણ અંતર જોવાની દૃષ્ટિ અંત૨માં છે. ભક્તિમાં વાણીની મહિમા કરે, શરીરની મહિમા કરે તેમ જ ગુરુદેવનો પ્રભાવનાનો યોગ કેવો! ગુરુદેવની મુદ્રા કેવી! તેઓ તીર્થંકરનું દ્રવ્ય છે વગેરે બધું ભક્તિથી કહે, પણ અંતરમાં પરીક્ષા કરીને કહે તે વાત જુદી છે. ૩૪૧.
પ્રશ્નઃ- કહેવામાં આવે છે કે તું જ્ઞાન-લક્ષણને શોધી કાઢ. પણ અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિયજ્ઞાન જ છે, તો કેવી રીતે શોધવું?
સમાધાનઃ- દષ્ટિ તેને અંતરમાં મૂકવી પડે છે. ઇન્દ્રિયજ્ઞાન ભલે હોય, પણ પોતે છે ને! પોતાનો કાંઈ નાશ થયો નથી ને ઇન્દ્રિયજ્ઞાન કાંઈ અંદર પ્રવેશી ગયું નથી. પોતે માન્યતા કરી છે, પણ પોતાના જ્ઞાનમાં પદ્રવ્ય પ્રવેશી નથી ગયું ને પોતાનું અસ્તિત્વ કાંઈ નાશ નથી થયું. માટે તારી પરિણતિને અંદર વાળીને તું પોતે કોણ છો તે ગોતી કાઢ. વચ્ચે મન અને ઇન્દ્રિય આવે છે તેને ગૌણ કરીને અને તારા જ્ઞાનને મુખ્ય કરીને તું જ્ઞાન-લક્ષણથી આખા જ્ઞાયકને ઓળખી લે. તું ઇન્દ્રિયને સાથે રાખે છે એટલે ઇન્દ્રિયથી જણાયું, આનાથી જણાયું એમ તને થાય છે; પણ તને તારા જ્ઞાનથી જણાય છે. તે જ્ઞાન-લક્ષણથી તારે અંદર જોવાનું છે. ઇન્દ્રિય સાથે હોય છે એટલે એમ કહેવાય કે ઇન્દ્રિયજ્ઞાનથી જાણ્યું, પણ તું અંદર દૃષ્ટિ કર ને! તું પોતે જ છો, તું કાંઈ ખોવાઈ ગયો નથી. પોતે જ પોતાનું સાધન છે. બીજું સાધન શું હોય? પોતાનો કાંઈ નાશ થયો નથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com