________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ ]
[સ્વાનુભૂતિદર્શન તત્ત્વ સહજ છે, જ્ઞાયકતત્ત્વ સહજ છે પણ તેનો નિર્ણય કરવો કે આ તત્ત્વ તે હું અને આ વિભાવ હું નથી તે તો પોતાના પુરુષાર્થથી થાય છે. યત્ન સાધ્ય નથી એટલે કે કૃત્રિમતા નથી, વિકલ્પ કરી કરીને પોતાને સાધ્ય કરવું પડે તેમ નથી. પણ પોતાના સહજ પ્રયત્ન સાધ્ય છે. પરિણતિ પોતાની છે તે પોતે પુરુષાર્થથી પલટો કરે છે. તેની સાથે કાળલબ્ધિ આદિ ભેગાં ભળે છે. કાળલબ્ધિ એટલે બધી કુદરત ભેગી ભળે છે, પણ યત્ન તો પોતાને કરવાનો રહે છે. યત્ન સાધ્ય એટલે કાંઈ કૃત્રિમ વિકલ્પ કરીને યત્ન કરવો એમ નહિ, પણ પોતાને ભાવના આવે છે કે હું પુરુષાર્થ કરું, આ મારે નથી જોઈતું, આ મારે જોઈએ છે એવી ભાવનાની ઉગ્રતા કરીને પોતાના પુરુષાર્થથી પલટો ખાય છે. તત્ત્વ સહજ છે, પણ તેનો પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. કૃત્રિમ વિકલ્પ દ્વારા તે થાય તેમ નથી. પોતાના પુરુષાર્થની ગતિનો –પોતાની પરિણતિની ગતિનો-પલટો પોતે કરે છે. ૩૮૨. પ્રશ્ન- એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું? સમાધાન - હા, એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું. સહજ કહ્યું એટલે પુરુષાર્થ કોઈ કરી દે કે એની મેળે મેળે થઈ જાય તેમ નથી. પોતાની પરિણતિ પલટો ખાય છે તેમાં તેની ભાવના એમ જ હોય કે આ એકત્વબુદ્ધિને તોડું, ભેદજ્ઞાન કરું, હું પુરુષાર્થ કરું, મારી પરિણતિ પલટો કેમ ખાય? પણ ભાવના એમ ન હોય કે તેની મેળાએ થઈ જશે.-યત્ન સાધ્ય નથી–એવી ભાવના ન હોય. પુરુષાર્થ કરું એવી ભાવના જેને હોય તેની પરિણતિ જ પલટો ખાય છે. એવી ભાવના જેને નથી હોતી અને તેની મેળાએ થાશે એવું હોય તેની પરિણતિ પલટો ખાતી જ નથી. જેને એમ ભાવના હોય કે મારે આ નથી જોતું-વિભાવથી છૂટું પડવું છે, મારે ભેદજ્ઞાન કરવું છે, મારે જ્ઞાયકને ઓળખવો છે, એવી પુરુષાર્થ કરવાની ભાવના જેને હોય, તેની જ પરિણતિ પલટો ખાય છે. એવી ભાવનાને પુરુષાર્થની સાથે સંબંધ છે. જેની ભાવના એવી હોય કે તેની મેળાએ થાશે, યત્ન સાધ્ય નથી તો તેની પરિણતિ પલટો જ ખાતી નથી. ભાવનાને પુરુષાર્થની ગતિ સાથે સંબંધ છે. ૩૮૩. પ્રશ્ન:- પુરુષાર્થ કરવાની ભાવનામાં કયાંક કતૃત્વબુદ્ધિ થઈ જશે એવી બીક અંદર રહ્યા કરે છે એનું શું કરવું? સમાધાનઃ- કર્તુત્વબુદ્ધિ તેમાં નથી આવતી. ભાવના સાથે કર્તુત્વબુદ્ધિ નથી આવતી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com