________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૭૫
પ્રશ્ન:- “તત્પ્રતિ પ્રીતિચિત્તેન યેન વાર્તા પિ હિ શ્રુતા ” આમાં શું કહેવું છે ? સમાધાનઃ- રુચિપૂર્વક વાતો સાંભળે છે તે ‘ભાવિ નિર્વાણ ભાજનમ્’. આ વાત અંતરથી રુચિપૂર્વક સાંભળે છે તેની પરિણિત પલટો ખાધા વગર રહેવાની જ નથી અને તે ‘ભાવિ’–ભવિષ્યમાં નિર્વાણનું ભાજન થાય છે. પોતે પુરુષાર્થ કરીને પલટો ખાવાનો છે. જે જિજ્ઞાસુ હોય તેને એમ આવે છે કે મારી પરિણિત કેવી રીતે પલટો ખાય, એમ તેને પોતાને પુરુષાર્થ કરવાની ભાવના રહે છે. ૯૧. પ્રશ્નઃ- શાસ્ત્ર વાંચવાથી ખોટી હૂંફ કે ઓથ ન આવી જાય?
સમાધાનઃ- શાસ્ત્ર વાંચવાથી ખોટી ઓથ આવી જાતી નથી, પણ તેની સાથે પરિણતિમાં કેમ પલટો થાય? કેમ પુરુષાર્થ કરું? કેવી રીતે થાય ? એવી ભાવના- લગની લગાડનાર પલટો ખાય છે. પછી કયારે પલટો ખાય તે તેની યોગ્યતા પ્રમાણે છે. પણ ભાવના તો એમ રહે કે કેવી રીતે પુરુષાર્થ કરું, પુરુષાર્થ કેમ થાય-આ રીતે પુરુષાર્થ કરવાની જ ભાવના રહે તો પલટો થાય. ૯૨.
પ્રશ્ન:- જ્ઞાયકની રુચિ થતાં સ્વ-પરનો વિવેક શું યથાર્થ આવે ?
સમાધાનઃ- જ્ઞાયકની રુચિ યથાર્થ હોય તો તેનો વિવેક પણ યથાર્થ હોય છે. સ્વ૫૨નો વિવેક કરી, યથાર્થ જ્ઞાન કરે તો યથાર્થ માર્ગ ગ્રહણ થાય. જેની રુચિ યથાર્થ તેનું બધું યથાર્થ. આત્મા સ્વભાવે પૂર્ણ છે. તેની યથાર્થ રુચિ થતાં જ્ઞાન પણ યથાર્થ થાય છે.
મુમુક્ષુઃ- નિમિત્તનો વિવેક યથાર્થ આવે!
બહેનશ્રી:– હા, નિમિત્તનો વિવેક યથાર્થ આવે, સ્વભાવનું ગ્રહણ થતાં બધું આવે, નિશ્ચય-વ્યવહારની સંધિ જેમ છે તેમ આવે. ૯૩.
પ્રશ્ન:- સ્વભાવની રુચિવાળા જીવને વિવેક એક પ્રકારનો રહેતો હશે કે કોઈ વખત વિપરીતતા આવે અને કોઈ વખત યથાર્થતા રહેતી હશે ?
સમાધાનઃ- અનુભવ પહેલાંની રુચિવાળાને એવો નિયમ નથી હોતો. જો સમ્યધારા હોય એટલે કે જેને જ્ઞાન સમ્યક હોય તેને સદા વિવેક યથાર્થ હોય ને તે પહેલાંની રુચિવાળાને રુચિમાં કંઈક મંદતા આવી જાય તો વિવેકમાં જુદું આવી જાય. રુચિ યથાર્થ રહ્યા કરે તો વિવેક પણ યથાર્થ રહે ને રુચિમાં ફેરફાર થાય તો વિવેકમાં પણ ફેરફાર થાય ૯૪.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com